રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મકાન પચાવી પાડવા હિસ્ટ્રીશીટર શખ્સનો યુવાન ઉપર છરીથી હુમલો

04:44 PM Aug 13, 2024 IST | Bhumika
oplus_2097184
Advertisement
Advertisement

આંબેડક્રનગરનો બનાવ: 4 વર્ષથી પરિવાર પાળ રહેવા જતો રહ્યો છે, યુવાનને કામ હોવાનું કહી બોલાવ્યા બાદ છરીના ઘા ઝીંકી દીધા

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડક્રનગરમાં મકાન પચાવી પાડવા હિસ્ટ્રીશીટર શખ્સે યુવાન ઉપર છરી વડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતિ વિગત મુજબ લોધીકા પાળ ગામે રહેતો સંદિપ રામજીભાઇ રાઠોડ (ઉ.વ.31)નામનો યુવાન આજે સવારે આંબેડક્રનગરમાં હતો ત્યારે ત્યાં રહેતા પાર્થ ગોહિલ અને તેની સાથેના શખ્સે છરી વડે હુમલો કરતા તેને ગળાના ભાગે સાથળમાં અને હાથના ભાગે છરીના ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખેસડાવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસના જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત સંદિપ તેના પરિવાર સાથે અગાઉ આંબેડક્ટરનગરમાં આવેલા તેના મકાને રહેતો હતો. જ્યાં પાડોશમાં આરોપી પાર્થ ગોહિલ રહેતો હોય. જે હિસ્ટ્રીશીટર હોવાનું જણાવ્યું હતું અને આરોપી તેમનું મકાન પચાવી પાડવા માટે હેરાન કરતો હોવાથી પરિવાર છેલ્લા 4 વર્ષથી મકાન ખાલી કરી પાળ ગામે રહેવા જતા રહ્યા હતા. દરમિયાન આજે સવારે તે ગોંડલ ચોક્ડી પાસે હતો. ત્યારે આરોપીએ ફોન કરી કામ છે તેમ કહીં બોલાવ્યા બાદ છરી વડે હુમલો કર્યો હતો. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
attackcrimegujaratgujarat newsrajkot news
Advertisement
Next Article
Advertisement