For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલ પંથકના સગીરા ગેંગરેપ કેસમાં હાઇકોર્ટે પોલીસનો ઉધડો લીધો

12:00 PM Dec 06, 2025 IST | Bhumika
ધ્રોલ પંથકના સગીરા ગેંગરેપ કેસમાં હાઇકોર્ટે પોલીસનો ઉધડો લીધો

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જાળીયા માનસર ગામમાંથી 2019 ની સાલમાં એક સગીરાના અપહરણ અને ગેંગરેપ ના ભારે ચર્ચાસ્પદ કેસમાં ગુજરાત હાઇકોર્ટે જામનગર પોલીસની તપાસમાં ગંભીર ઉદાસીનતા અને નિષ્કાળજીને લઈ ઉધડો લઈ નાખ્યો હતો. જસ્ટિસ વિમલ કે.વ્યાસે સમયસર પોલીસ ફરિયાદ નહી લેવા બદલ અને સમગ્ર મામલામાં જામનગર એસપીને તપાસ સોંપી મેડિકલ એકઝામીનેશન નહી કરાવવા બદલ ભારે ઝાટકણી કાઢી વિગતવાર ખુલાસા સાથેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.

Advertisement

હાઈકોર્ટ આગામી મુદતે તા. 17મી ડિસેમ્બરે જામન્ગર એસપીને વર્ચ્યુઅલ મોડમાં કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટની ન્યાયિક કાર્યવાહીમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.

જસ્ટિસ વિમલ કે. વ્યાસે જામનગરના ધ્રોળ પોલીસ અને તેના અધિકારીઓની ગંભીર બેદરકારી અને કેસની તપાસમાં લાલિયાવાડીને લઇ જોરદાર ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, ધ્રોળ પીઆઈ તરફથી રજૂ થયેલા રિપોર્ટમાં કેટલીક અસામાન્ય હકીકતો સામે આવી છે. કેસના કાગળોને ધ્યાનમાં લેતાં, કેસની શરૂૂઆતથી જ પોલીસના વલણ અને વર્તનને લઈ અનેક સવાલો ઉભા થાય છે.

Advertisement

એવું સ્પષ્ટ જણાય છે કે, સગીરા પર સામૂહિક દુષ્કર્મની આ ઘટના તા.9-5-2019ના રોજ બની હતી, જેની તાત્કાલિક ધ્રોળ પોલીસને જાણ કરવામાં આવી, પરંતુ પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હતી. ત્યારબાદ પીડિતાની માતા એવી ફરિયાદીએ જામનગર એસપીને લેખિત રજૂઆત કરી હતી, જે રજૂઆત ધ્રોળ પોલીસ સ્ટેશનને જરૂૂરી કાર્યવાહી માટે મોકલી અપાઈ હતી, તેમછતાં ધ્રોળ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ફરિયાદી માતા તેમના વકીલ સાથે ધ્રોળ પોલીસ મથકમાં પહોંચી હતી અને નિવેદન આપ્યું હતું, તેમછતાં પોલીસે ફરીથી પણ કોઈ જ કાર્યવાહી કરી ન હતી.

ઉલ્ટાનું પોલીસે તેને ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું. જેથી પોલીસના વલણથી નારાજ ફરિયાદીએ રાજયના પોલીસ વડા, રાજયના મુખ્ય સચિવ, જામનગર એસપી, ધ્રોળ પીઆઈ સહિતના સત્તાધીશોને ફરી એકવાર લેખિત રજૂઆત કરી હતી. જેને પગલેઆખરે બાદમાં તા.9-7-2019ના રોજ આ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેમછતાં પોલીસ દ્વારા આરોપીઓ સામે તેમાં રેપની કોઈ કલમ ઉમેરવામાં આવી ન હતી.

હાઇકોર્ટે ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, બનાવના ચાર વર્ષ બાદ પીડિતા મળી આવી હતી અને તા.3-7-2023ના રોજ તત્કાલની તપાસ અધીકારી દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં પીડિતાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેની પર માગો, કિશોર, સુનીલ, દિગો, તલી, સંજય, હસમુખ, કમલેશ અને વિજયે તેની ઇચ્છા વિરૂૂધ્ધ તેની પર બેરહમીથી બળાત્કાર ગુજાર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement