For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લેન્ડ ગ્રેબીંગના ગુનામાં આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ ફરમાવતી હાઇકોર્ટ

04:38 PM May 06, 2025 IST | Bhumika
લેન્ડ ગ્રેબીંગના ગુનામાં આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ ફરમાવતી હાઇકોર્ટ

Advertisement

રાજકોટ ચકચારી રાતરાણી એપાર્ટમેન્ટના લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં હાઇકોર્ટે આરોપીની ધરપકડ સામે સ્ટે ફરમાવ્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રાતરાણી એપાર્ટમેન્ટમાં ફલેટ નં. 302 નો કબજો દમયંતીબેન નવીનભાઈ મહેતા અને દિનેશભાઈ નવીનભાઈ મહેતા ગેરકાયદેસર રીતે વર્ષ 2013 થી ધરાવતા હોવાની ફરિયાદ દિપકભાઈ મગનભાઈ સાંગાણી દ્વારા માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદ સામે દિનેશભાઈ નવીનભાઈ મહેતાએ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં ક્વોસિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

Advertisement

જે ચાલી જતા અરજદારના વકીલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે વર્ષ 2005થી ફલેટના માલિક દમયંતીબેન નવીનભાઈ મહેતા હતા અને 2013 માં રૂૂપિયાની જરૂૂરિયાત ઉભી થતા માત્ર સીકયુરીટી માટે જ દસ્તાવેજ દિપકભાઈ મગનભાઈ સાંગાણીને કરી આપવામાં આવેલ હતો. પરંતુ ફલેટનો કબજો ક્યારેય પણ આપવામાં આવેલ ન હતો અને દિપકભાઈ મગનભાઈ સાંગાણી દ્વારા આપવામાં આવેલ રકમ પરત આપવાનું જણાવતા તેમણે રકમ સ્વીકારવાની ના પાડેલી અને તે અનુસંધાને હાલની ફરિયાદ કરેલ છે તે રજુઆતો ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીશ દિવ્યેશ એ. જોષી દ્વારા અરજદારની ધરપકડ સામે સ્ટે આપેલ છે.આ કેસમાં અમદાવાદના સીનીયર એડવોકેટ હર્ષીતભાઈ ટોલીયા, લો સ્ટુડન્ટ હર્ષવી ટોલીયા, રાજકોટના દફતરી લો ચેમ્બર્સના ધારાશાસ્ત્રી પથીકભાઈ દફતરી, ભાવિન દફતરી, નુપુરબેન દફતરી, નેહાબેન દફતરી, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, પરેશ કુકાવા, નીશાબેન સુદ્દા અને શીવાંગી મજીઠીયા રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement