ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલાવડના ખરેડીમાં શ્રમિક પર વાડી માલિકનો એરગનથી હુમલો

12:41 PM Mar 15, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીય ખીજડિયા ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા મુકેશ વાલજીભાઈ પરમાર નામના 26 વર્ષના શ્રમિક યુવાને પોતાના ઉપર એરગન વડે હુમલો કરી પડખામાં ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ ઢીકાપાટુનો માર મારવા અંગે ખરેડી ગામના વાડી માલિક વશરામભાઈ બથવાર સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીને આજથી બે મહિના પહેલા બોલાચાલી થઈ હતી, અને વાડી માલિકે શ્રમિક ને પોતાની વાડીમાં આવવા માટે મનાઈ ફરમાવી હતી. પરંતુ ગઈકાલે અન્ય વ્યક્તિ સાથે કામ સબબ ફરિયાદી યુવાન વશરામભાઈ ની વાડીએ જતાં તેના ઉપર ઉશ્કેરાટમાં આવી જઈ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

Tags :
crimegujaratgujarat newsKalavadKalavad news
Advertisement
Next Article
Advertisement