રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘અહીંથી કૂતરું લઇ નીકળવું નહીં’, કહી કોલેજિયન યુવાન ઉપર પાડોશીનો પાઇપથી હુમલો

04:53 PM Aug 22, 2024 IST | Bhumika
oplus_32
Advertisement
Advertisement

છોડાવવા વચ્ચે પડેલા માતાને પણ માર માર્યો: આજી ડેમ ચોકડી પાસે યુવરાજનગરનો બનાવ

શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા યુવરાજનગરમાં કૂતરૂ લઇ નીકળેલા કોલેજીયન યુવાનને પાડોશી શખ્સોએ ‘અહીંથી કૂતરૂ લઇ નીકળવું નહીં’ તેમ કહી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં પુત્રને બચાવવા જતા માતાને પણ માર માર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ યુવરાજનગરમાં રહેતો અને કુંડલીયા કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતો રાજકુમાર નગીના પ્રસાદ શાહ (ઉ.વ.20)નામનો બિહારી યુવાન આજે સવારે તેનું પાળતું કૂતરૂ લઇ ઘર પાસે શેરીમાં નીકળતાં પાડોશમાં રહેતા રાહુલ, સોનું ઘનંજય અને તેની સાથેના શખ્સે ‘અહીં થી કૂતરૂ લઇ નીકળવું નહીં’ તેમ કહીં લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી પુત્રને બચાવવા માતા મીનાદેવી નગીના પ્રસાદ શાહ (ઉ.વ.45) દોડી જતાં આરોપીઓએ તેમને પણ માર માર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે આજીડેમ પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
attackedgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement