ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખ સામે ગુનો નોંધાતા હીરા બજાર બંધ
પિતા-પુત્ર પાસેથી હીરા ખરીદ્યા બાદ 76 લાખ ન ચૂકવતા પ્રમુખ સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ
ભાવનગરના પિતા-પુત્ર સહિત ચાર વેપારી પાસેથી હીરા ખરીદ્યા બાદ હીરા દલાલે રકમ ન ચૂકવતાં ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખે મધ્યસ્થી કર્યા બાદ બાકી રહેતી રૂૂા. 76 લાખ ચૂકવવા ખાત્રી આપ્યા બાદ બન્નેએ હાથ ઉંચા કરી દેતા પ્રમુખ સહિત બે વિરૂૂદ્ધ રૂૂા.76 લાખની રકમ ઉચાપતઉચાપત કરી રકમ ઓળવી ગયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર નજીકના સીદસરના નવાપરા ખાતે રહેતા અને નિર્મળનગર ક્રિસ્ટલ બિલ્ડિંગમાં આવેલી ઓફિસ નં. 102માં હીરાની લે-વેચના વ્યવસાયી માવજીભાઈ ભગવાનભાઈ ધામેલિયાને કાળીયાબીડમાં રહેતા હીરા દલાલ ઈશ્વર શામજીભાઈ ભરોડિયા સાથે પરિચય થતાં તા.1મે 2024થી 3 સપ્ટ.2024 સુધીમાં અલગ અલગ ચિઠ્ઠીઓ દ્વારા રૂૂા. 77,73,354 કિંમતના 246.74 કેરેટના હીરા વેચવા આપ્યા હતા.ઉપરાંત માવજીભાઈના પુત્ર નિલેશભાઈએ પણ રૂૂા.15,75,154ની કિંમતના 50.51 કેરેટના હીરા વેચવા આપ્યા હતા. પિતા-પુત્રએ મળી દલાલ ઈશ્વર ભારોડીયાને આપેલાં રૂૂ. 93,48,508 કિંમતના હીરા સામે નાણાંની ઉઘરાણી કરતાં દલાલે વાયદાઓ આપી રૂૂપિયા પરત ન આપતાં તેની વિરૂૂદ્ધ ગત 22 સપ્ટ.2024એ નિલમબાગ પોલીસ મથકમાં અરજી અપાતાં દલાલ પોલીસ સમક્ષ હાજર થયો હતો. જો કે, પોલીસ નિવેદન બાદ માવજીભાઈના પુત્ર નિલેશભાઈને ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ ફોન કરીને નિર્મળનગર ઓફિસેં બોલાવ્યા હતા.
જ્યાં ઈશ્વર ભરોડિયા,તેના કાકા વલ્લભભાઈ,પ્રમુખ ઘનશ્યામ ગોરસીયા ઉપરાંત જેમના નાણાં બાકી હતા તેવા ધર્મેશભાઈ તુલસીભાઇ ધામેલિયા અને મહેશભાઈ મોહનભાઈ સાચાપરા પણ હાજર હતા. ઘનશ્યામ ગોરસીયાએ મધ્યસ્થીથી પિતા-પુત્ર અને મહેશભાઈ સાચાપરા વચ્ચે ઉસરડ ગામની સાત વીઘા જમીન,રૂૂા.8.70 લાખ અને બાકીના રૂૂ.10 લાખ છ દિવસમાં આપવાની વાત કરી હતી અને બાકીની રકમ કટકે કટકે આપવાની પ્રમુખ ગોરસીયાએ મૌખિક બાંહેધરી આપી હતી. સમય મર્યાદામાં રૂૂપિયા નહીં મળતા વેપારીએ પ્રમુખ પાસે ઉઘરાણી કરી ત્યારે તેણે ઈશ્વર ભરોડિયા ફોન ઉપાડીને મરી જવાની ધમકી આપે છે, તમે તમારા પૈસા તમારી રીતે લઈ લેજો તેમ કહીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા.
જો કે,દલાલ અને પ્રમુખ બન્ને એ મેળાપીપણું કરી હીરાના વેપારીઓની બાકી રકમ રૂૂ.76,36,928 નહીં આપી એક બીજાએ સમજૂતી કરી બન્ને શખ્સ ગુનાહિત વિશ્વાસઘાત કર્યાનું માલૂમ પડતાં વેપારી માવજીભાઈ ભગવાનભાઈ ધામેલિયાએ ભાવનગર ડાયમંડ એસો. પ્રમુખ ઘનશ્યામ ગોરસીયા અને દલાલ ઇશ્વર શામજીભાઈ ભરોડિયા વિરૂૂદ્ધ મેળાપીપણું કરી બન્ને બાકી રકમ ઓળવી ગયાની વિવિધ કલમ અન્વયે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી દલાલ ઇશ્વર શામજીભાઈ ભરોડિયાને ઝડપી લીધો છે.જયારે, પ્રમુખની શોધખોળ શરૂૂ કરી હોવાનું જાણવા મળેલ છે.
ભાવનગરના હીરા વેપારીએ ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખ અને દલાલ સામે પોલીસ ફરિયાદ નોઁધાવતાં નિર્મળનગર હીરાબજારમાં ચકચારમ મચી હતી. બનાવને લઈ તાકિદની અસરથી ડાયમંડ એસો.ની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે શુક્રવારના રોજ નિર્મળનગર હીરાબજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જયારે, ફરિયાદને ડાયમંડ એસો.એ ચોક્ક્સ તત્વોની હેરાનગતિ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
દલાલ અન્ય બે વેપારીઓના હીરા પણ ઓળવી ગયોદલાલ ઇશ્વર ભરોડિયાએ હીરાના વેપારી ધર્મેશભાઈ તુલસીભાઇ ધામેલિયાના રૂૂા. 11,90,430ના 49.72 કેરેટ અને મહેશભાઈ મોહનભાઈ સાચાપરાના રૂૂા.30,50,137ના 111.75 કેરેટ હીરા મળી રૂૂ.42,40,567 ના હીરા વેચવા માટે મેળવી ઓળવી ગયો હોવાનું ફરિયાદીએ નિલમબાગ પોલીસને જણાવ્યું હતું.