For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદમાં પ્રેમસંબંધમાં સમાજ એક નહીં થવા દે તેવા ડરથી પિતરાઇ ભાઇ-બહેનનો આપઘાત

12:18 PM Oct 11, 2024 IST | Bhumika
હળવદમાં પ્રેમસંબંધમાં સમાજ એક નહીં થવા દે તેવા ડરથી પિતરાઇ ભાઇ બહેનનો આપઘાત
Advertisement

હળવદના માનસર ગામમાં આવેલી વાડી વિસ્તારમાં 220 કેવીના વીજ પોલ સાથે એક યુવક અને યુવતીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો જે બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે લાશનો કબજો મેળવી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસહાથ ધરી હતી.

માહિતી મુજબ હળવદમાં માનસરમાં ખેત મજૂરી કરતા છોટાઉદયપુરના પિતરાઈ ભાઈ બહેન બે દિવસથી ગુમ હતા અને હજુ બે મહીનાં પહેલાં જ સમાજના રીતરિવાજ પ્રમાણે મૃતક આરતીની સગાઈ કરી હતી ત્યારે પરવારજનો દ્વારા ભારે શોધખોળ બાદ માનસર ગામેથી પસાર થતી 220 કેવિના વિજપોલ સાથે દુપટ્ટો બધીને લટકતાં મળ્યાં હતા સંબધમાં બન્ને પિતરાઈ ભાઈ બહેન છે ત્યારે બન્નેના કુટુંબીજનો હોસ્પિટલ પહોચ્યા હતા જ્યારે આપઘાતનું પ્રાથમિક કારણ સમાજ એક નહી થવા દે તેવા ડરથી પગલું ભર્યા હોવાનું સામે આવ્યું હતું મૃતક યુવતીનું નામ આરતી નવલસિંહ તડવી ઉમર વર્ષ 20 જયારે યુવકનું નામ સંજયભાઈ કનુભાઈ તડવી ઉમર વર્ષ 23 છે બન્ને વચ્ચે પિતરાઈ ભાઈ બહેનનો સંબંધ હતો. તેમજ એક બીજાને પસંદ પણ કરવા લગતા અને લગ્ન કરવા માંગતા હોય પરંતુ સમાજ એક નહીં દેવાના ડરે ગળેફાંસો ખાધો હતો.

Advertisement

હાલ બનાવ અંગે હળવદ પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી બન્ને મૃતદેહ પીએમ અર્થે ખસેડયા બાદ બન્નેના પરિવારને સોપી દીધા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement