ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરેન્દ્રનગરના યુવાન પાસેથી પૈસાની પઠાણી ઉઘરાણી કરનાર રાજકોટના બે વ્યાજખોર સામે ફરિયાદ

01:38 PM Aug 05, 2025 IST | Bhumika
Advertisement

સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ મથકે વ્યાજ વટાવમાં લીધેલા નાણાની સામે મારી નાંખવાની ધમકી આપી કોરા ચેક લખાવી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ મથકે રતનપર અવધેશ્વર સોસાયટીના દિપેશ રસીકલાલ પાટડીયાએ વ્યાજ વટાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

જે મુજબ તેઓએ મિત્ર પ્રજ્ઞેશભાઇ ગોહિલ પાસેથી રૂૂ.2.25 લાખ લીધા હતા. જેમાં 80 પરત આપ્યા હતા. જ્યારે ભાવેશભાઇ માખલા પાસેથી 1.70 લાખ લીધા હતા તેમને 35 હજાર પરત આપેલ છે. બાકીની રકમ આપી ન શકતા બન્ને શખસો ફોન કરી ઘમકી આપતા હતા.

7-7-25ના રોજ ઘરે હતા તયારે 2 શખસ આવી અમારા બાકી રહેલા રૂૂપિયા આપી દે કહી ગાળો આપી અમાને આજ ને આજ નાણા નહીં આપ તો તને અને તારા પરિવારને મારી નાંખીશુ અને તારા ટુકડા કરી નાંખી તારા બધા નખ ખેંચી લઈશું તેમ કહી કોરા ચેક આવા પડશે કહી 2 કોરા ચેકમાં સહી લઇ લીધી હતી.
આ બનાવની રાજકોટના પ્રજ્ઞેશ કિશોરભાઇ ગોહિલ, રાજકોટના ભાવેશભાઇ માખેલા સામે જોરાનવરનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

Tags :
crimegujaratgujarat newsSurendranagarSurendranagar news
Advertisement
Next Article
Advertisement