ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બીલખાના નવાગામે નિવેદ કરવા આવેલા રાજકોટના યુવાન પર હુમલો

05:19 PM Mar 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

માતાજીના નિવેદ કરવા આવેલ રાજકોટના યુવક પર નવાગામનાં 2 શખ્સે હુમલો કરી કારનો કાચ તોડી નાખ્યો હતો. રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ફોર્ચ્યુન હોટલ પાસે સરસ્વતીનગર મેઇન રોડ પર રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નું કામ કરતા 28 વર્ષીય અશોકભાઈ હસમુખભાઈ ઝાલા રવિવારે બપોરે બીલખાના નવાગામમાં પોતાની વાડીએ પરિવાર સાથે માતાજીના નીવેદ કરવા માટે આવ્યા હતા. તે વખતે યુવકના પત્ની નિવેદ બનાવતા હતા ત્યારે વાડીએ આવેલ નૂરસતાગરબાપુના મંદિરે પૂજા પાઠ કરતો અશ્વીન ભનુ બારૈયા તથા તેનો ભાઇ હરેશએ આવી પતમો જ્યારે અહી નીવેદ કરવા આવો ત્યારે અમારૂૂ શાકભાજી અવાર નવાર લઇ જાવ છોથ તેમ કહી ઝઘડો કરી ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો. અને અશ્વિને માથાના ભાગે ખપારીનો ઘા મારી ઇજા પહોંચાડી ઇકો ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. ઝપાઝપીમાં યુવાનનો સોનાનો ચેન, વીંટી પડી ગયા હતા. આ ઘટનાને લઈને યુવકની ફરિયાદ નોંધી બીલખા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement