આણંદપર બાધીના પરિવારની 14વર્ષની દીકરીનું અપહરણ
04:10 PM Sep 06, 2024 IST | Bhumika
Advertisement
શહેરના આણંદપર બાઘી ગામે રહેતાં આદીવાસી મજૂર પરિવારની 14 વર્ષની દિકરી ગયા મહિને ગૂમ થતાં શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મુળ છોટા ઉદેપુર પંથકના યુવાન તેના પત્નિ અને ત્રણ સંતાન સાથે આણંદપર બાઘી ગામે ખેતરમાં રહી મજૂરી કરે છે.ગત તા. 13/8ના રોજ રાતે જમીને બધા સુઇ ગયા હતાં. રાતે અઢી વાગ્યે તેની નિંદર ઉઠતાં વાડીમાં ઢોર આવી ગયા હોઇ હાથબત્તી લેવા રૂૂમમાં જતાં 14 વર્ષની દિકરી જોવા મળી નહોતી. આથી પત્નિને જગાડી આસપાસમાં તપાસ કરવા છતાં મળી આવી નહોતી. તેમજ વતનમાં અને બીજા સગાને ત્યાં તપાસ કરવા છતાં કોઇ પત્તો ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી. કુવાડવા પીઆઇ બી. પી. રજયાએ સગીરા ગૂમ થવાના કિસ્સામાં તુરત જ અજાણ્યા સામે અપહરણનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂૂ કરી છે.
Advertisement
Advertisement