For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નહેરૂનગરના યુવાને લોનના હપ્તા ચડી જતા કર્યો આપઘાતનો પ્રયાસ

04:52 PM Oct 19, 2024 IST | Bhumika
નહેરૂનગરના યુવાને લોનના હપ્તા ચડી જતા કર્યો આપઘાતનો પ્રયાસ
Advertisement

શહેરમાં મવડી ચોકડી પાસે ખીજડાવાળા રોડ ઉપર આવેલ નહેરુનગરમાં રહેતા યુવાને લીધેલ લોનના હપ્તા ચડી જતા ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી ચોકડી પાસે ખીજડાવાળા રોડ ઉપર આવેલા નેહરુનગરમાં રહેતા મુકુંદ રાજુભાઈ રાઠોડ નામનો 26 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મુકુંદ રાઠોડે ફાઇનાન્સમાંથી લોન લીધી હતી. જે લોનના હપ્તા ચડત થઈ જતા ચિંતામાં ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી રેહાનાબેન સલીમભાઈ સુમરા નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ગૃહકલેશથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement
Tags :
Advertisement
Advertisement