ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શ્રીનાથજી સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત

04:50 PM Jun 20, 2025 IST | Bhumika
oplus_2097152
Advertisement

શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ, શ્રીનાથજી સોસાયટી શેરી નં.15માં રહેતાં અજીતસિંહ જોરૂભા જાડેજા (ઉ.30) નામના યુવાન આજે સવારે પોતાના ઘરે ઉપરના માળે પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Advertisement

તેનો નાનો ભાઈ ઉપર કપડા લેવા જતાં ભાઈને લટકતો જોઈ હતપ્રભ બની ગયો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ બે બહેનમાં મોટો અને છુટક બાંધકામનું કામ કરતો હતો. માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement