ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : એકને ઈજા

05:05 PM Apr 18, 2025 IST | Bhumika
oplus_2097184
Advertisement

શહેરમાં ચંદ્રેશનગર પાસે આવેલા અમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારમારી થઈ હતી. જેમાં એક યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

અફા બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચંદ્રેશનગર પાસે આવેલા અમરનગરમાં રહેતા નવીનસિંગ શ્યામ સુંદરસિંગ તોમર નામનો 38 વર્ષનો યુવાન મધરાત્રે પોતાના ઘર પાસે હતો ત્યારે અન્ય ચારથી પાંચ જેટલા નેપાળી શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં નવીનસિંગ તોમર ઉપરના માળે રહે છે જ્યારે હુમલાખોર શખ્સો નીચેના મકાનમાં રહે છે. બેરલનું પાણી બગાડવા મુદ્દે બોલાચાલી થયા બાદ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
attackcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement