ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વઢવાણમાં અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો.11ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

12:15 PM Aug 14, 2025 IST | Bhumika
Advertisement

સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ એક લાખની કિંમતની ગાય લેવાની માંગણી કરતા પિતાએ ગાય લેવાના બદલે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા પુત્રને લાગી આવતા આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયો છે.

Advertisement

વઢવાણમાંઆવેલ કાંગશીયાપરામાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતા યોગેશ ગોવિંદભાઈ નાંઘા ઉ.21 નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પરિવારને જાણ થતા યુવકે બેશુધ્ધ હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયો હતો ત્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી વઢવાણ પોલીસને જાણ કરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક પુછતાછમાં યુવક બે ભાઈ-બહેન છે. અને ઘરે બેઠા ધો.11નો અભ્યાસ કરી માલઢોરનું કામ કરે છે. તેને એક લાખ રૂૂપિયાની ગાય લેવી હોય પરંતુ પિતાએ ગાય લેવાના બદલે અભ્યાસમાં ધ્યાન આપવા મુદે ઠપકો આપેલ જેથી યુવકને માઠું લાગી આવતા પગલું ભર્યુ હોય પરંતુ પરિવારને જાણ થતા યુવકનો જીવ બચી ગયો હતો.

Tags :
gujaratgujarat newssuicideSurendranagarSurendranagar newsWadhwanWadhwan news
Advertisement
Next Article
Advertisement