ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયા

11:43 AM Mar 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મજેવડી દરગાહ કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા દોઢ વર્ષથી ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisement

પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમે ખાનગી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કાર્યવાહી કરી. આરોપીઓ ધારાગઢ દરવાજા રોડ નજીક કુંભારવાડાના નાકા પાસે મળી આવ્યા હતા. તેઓ બહારગામ ભાગી જવાની તૈયારીમાં હતા.

પકડાયેલા આરોપીઓમાં નિજામુદ્દીન ઉર્ફે નિજામ (29), સાજીદ ઉર્ફે સાહિદ (32) અને તોસીફ ઉર્ફે સડીલ (27)નો સમાવેશ થાય છે. આ કેસમાં આરોપીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, માર-મારવું, સરકારી કામમાં અવરોધ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે.

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલ, ઙજઈં ડી.કે. ઝાલા, વાય.પી. હડીયા તથા અજઈં વિક્રમભાઈ ચાવડા, પુંજાભાઈ ભારાઈ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ સાહિલ સમા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Tags :
crimegujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Advertisement