For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડના સરવાણિયા ગામમાંથી 16 વર્ષીય સગીરાનું કરાયું અપહરણ

12:12 PM Jan 11, 2025 IST | Bhumika
કાલાવડના સરવાણિયા ગામમાંથી 16 વર્ષીય સગીરાનું કરાયું અપહરણ

બાલંભડીના શખસ વિરૂધ્ધ ફરિયાદ

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતી એક સગીરાનું અપહરણ થઈ ગયું છે, અને બાલંભડી નો એક શખ્સ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

કાલાવડ તાલુકાના સરવણીયા ગામમાં રહેતી 26 વર્ષથી એક સગીરા પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ હતી.

Advertisement

પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધખોળ કર્યા પછી તેણીનું અપહરણ થઈ ગયું હોવાનું અને કાલાવડ તાલુકાના બાલંભડી ડેમ પાસે નેસડા વિસ્તારમાં રહેતો ધનાભાઈ રાજવીરભાઈ માલાણી નામનો શખ્સ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવા ના ઈરાદા થી ઉઠાવી ગયો હોવાનું માલુમ પડતાં મામલો કાલાવડ ટાઉન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

સગીરાની માતાએ બાલંભડીના ધનાભાઈ રાજવીરભાઈ માલાણી સામે પોતાની પુત્રીનું અપહરણ કરી જવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement