રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિહોરની રોલિંગ મિલમાં બ્લાસ્ટ; બેના મોત, 3ને ગંભીર ઈજા

01:19 PM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

ભાવનગર નજીક સિહોરમાં આવેલ રોલિંગ મિલની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા એક શ્રમિકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયેલ છે. ઇજાગ્રસ્તો પૈકી બેના મોત નિજપ્યું હોવાનું જાણવા મળે છે.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર સિહોરમાં આવેલ જીઆઇડીસી માં આવેલ એમ.ડી. રુદ્રા નામની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ત્યાં કામ કરી રહેલા ચાર મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્તરે દોડી ગયો હતો. તપાસમાં ભરત રામદુલારે નામના શ્રમિકનું ઘટના સ્થળે મોત નિપજ્યાનું જાણવા મળેલ જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાનઅન્ય એક મજુરનું મોત નિજપ્યું હતું. ઈજા પામેલા મજૂરો રાજુભાઈ ચૌહાણ, રાજ કિશોર, તુલસીરામ ચૌહાણ અને પરસોતમભાઈ ચૌહાણ તમામ મજૂરોને સારવાર માટે ભાવનગરની સર. ટી .હોસ્પિટલ લાવવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે.
આ રોલિંગ મીલમાં ભઠ્ઠીમાં અથવા બોઈલરમાં વિસ્ફોટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ કાફલો અને એફએસએલના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયેલ છે અને બ્લાસ્ટ થવા પાછળનું કારણ જાણવા પ્રયાસો શરૂ કર્યા છે. એક એવી પણ ચર્ચા છે કે, ભઠ્ઠીમાં ઓગાળવા માટે આવેલા ભંગારમાંથી કોઈ વસ્તુનો વિસ્ફોટ થયો હોય શકે.

 

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement