ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પશુ ચરાવવા ગયેલા બે માસૂમ પિતરાઇ ભાઇના તળાવમાં ડૂબી જતાં મોત

12:49 PM Aug 09, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હીરાણા ગામમાં પશુ ચરાવવા ગયેલા બે પિતરાઈ ભાઈઓના તળાવના પાણીમાં ડૂબી જતા મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બંનેના મૃતદેહોનો પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હીરાણા ગામમાં રહેતા રાજુભાઈ ગેલાણીના પુત્ર ધાર્મિક અને તેના ભાઈ મિલનભાઈ ગેલાણીના પુત્ર તુષાર બંને પશુ ચરાવતા હતા. ત્યારે ગામમાં આવેલા તળાવના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા બંનેના મોત નિપજ્યા છે.

બે માસૂમ બાળકોના મોતના પગલે નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે બંને મૃતદેહોને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
amreliamreli newsgujaratgujarat news
Advertisement
Advertisement