રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધંધુકા-બગોદરા હાઇવે પર પાણીના ખાળિયામાં કાર ખાબકતાં ત્રણનાં મોત

11:52 AM Jul 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમરેલીના લીલિયાથી પરિવાર સુરત જઈ રહ્યો હતો:કારમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયાં

અમરેલી જિલ્લાના વતની પરિવાર સુરત જઈ રહ્યો હતો. ત્યારે ધંધુકા તાલુકાના હરીપુરના પાટિયા પાસે રસ્તા પર પડેલી કપચીને કારણે કાર પલટી મારી જઈ પાણી ભરેલા ખાળિયામાં ખાબકતા પટેલ પરિવારના મહિલા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે કારમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં ધંધુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.

અમરેલી જિલ્લાના લીલિયા ખાતેથી શુક્રવારે એક પરિવાર કારમાં સવાર થઈ સુરત તરફ જઈ રહ્યો હતો. દરમિયાનમાં સાંજના સમયે ધંધુકા-બગોદરા રોડ પર હરીપુરના ફાટિયા પાસે પહોંચતા કપચીને કારણે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા પરથી નીચે ઉતરી પલટી મારીને પાણી ભરેલા ખાળિયામાં ખાબકી ગઈ હતી. જે બનાવમાં અમરેલી જિલ્લાના ફતેપુર અને લીલિયા ગામે રહેતા બચુભાઈ ગોવિંદભાઈ કાસડિયા, મગનભાઈ રૂૂડાભાઈ દૂધાત અને અજવાળીબેન મગનભાઈ દૂધાતના ઘટના સ્થળે જ કરૂૂણ મોત થયા હતા. કાર પલટી મારી ગયાની જાણ થતાં લોકોએ દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી કારમાં ફસાયેલા રૂૂત્વિકભાઈ ભરતભાઈ કાસડિયા (ઉ.વ.27) અને નીકિતાબેન રૂૂત્વિકભમાઈ કાસડિયા (ઉ.વ.25)ને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યારે અકસ્માતની કરૂૂણ ઘટનામાં મોતને ભેટેલા મહિલા સહિતના ત્રણેય હતભાગીઓના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપી ધંધુકા પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હોવાનું ધંધુકા પીએસઆઈએ જણાવ્યું હતું.

Tags :
cardeathDhanduka-Bagodara highwaygujaratgujarat news
Advertisement
Next Article
Advertisement