ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યુવતીનું સરઘસ કાઢવાની ઘટનાના કારણે માથું શરમથી ઝૂકી જાય છે: નારણ કાછડિયા

11:59 AM Jan 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં પાટીદાર યુવતી પાયલ ગોટી પર ચાલી રહેલી કાર્યવાહી પર હવે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા મેદાનમાં આવ્યા છે. પાયલ ગોટી જેણે અમરેલી પોલીસની કાર્યવાહી વિરૂૂદ્ધ ન્યાય માટે અપીલ કરી હતી, તેના પર હવે રાજકીય અને સામાજિક આગેવાનોની પણ આંખ પડી છે.

Advertisement

નારણભાઈ કાછડિયાએ જણાવ્યું કે, આ ઘટનાથી હું ખૂબ જ શરમિત છું અને તે ખુબજ નિંદનીય છે. દરેક સમાજના માટે આ એવી ઘટના છે, જેના કારણે માથું શરમથી ઝૂકી જાય છે.આ સાથે નારણ કાછડિયાએ અમરેલી પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે, જોકે આ કૃત્યમાં અમરેલી પોલીસ કોઈના ઈશારે સામેલ છે, આ પધ્ધતિથી પોલીસ એ જ રૂૂપ દર્શાવ્યું છે, જેના પરિણામે પોલીસમાંથી ગુજરાતના માથે શરમ આવી છે.છેલ્લાં 30 વર્ષમાં ક્યારેય ન બની હોય એવી ઘટના અમરેલીમાં બની છે. જેનાથી પાર્ટીને નુકસાન તો થયું જ છે. પરંતુ, પાર્ટીના તમામ નેતાનું માથું પણ શરમથી ઝૂકી ગયું છે. હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સી.આર પાટીલને અપીલ કરૂૂ છું કે, આ મામલે ખરેખર તપાસ થવી જોઈએ અને દૂધનું દૂધ તેમજ પાણીનું પાણી થવું જોઈએ.

તેમણે વધુમાં કહ્યું, એલેકશન અને રાજકીય અસરના દૃષ્ટિએ આ કાર્યવાહી કરાઈ છે. હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને સી.આર. પાટીલને વિનંતી કરું છું કે આ મામલામાં કડક તપાસ કરવામાં આવે અને સત્યને બહાર લાવવાનું જરૂૂરી છે. સંપૂર્ણ રાજ્ય અને ખાસ કરીને અમરેલીમાં આ કિસ્સો ઘણી ચર્ચાઓનો વિષય બની ગયો છે.

Tags :
amreliamreli newsgujaratgujarat newsNaran Kachhdiya
Advertisement
Advertisement