રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી દુર્ઘટના, ઘઉંની બોરી ઉતારતા વખતે 5 શ્રમિકો દબાયા, 1 નું મોત

01:52 PM Sep 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમરેલી માર્કેટયાર્ડમાં આજે મોટી દુર્ઘટના સર્જાઇ છે. યાર્ડમાંઘઉંની બોરીઓ ઉતારતી વખતે 5 મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત થયું છે. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના લઇને મજૂરો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે અમરેલી માર્કેટયાર્ડમાં વેપારીના ત્યાં મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ઘઉંની બોરીઓ 5 મજૂરોના ઉપર પડી હતી અને મજુરો દટાયા હતાં. ત્યારબાદ મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક મજુરનું મોત થયું છે. જયારે 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

આ દુર્ઘટનામાં ખીજડિયાના વિપુલ દિનેશ કનક નામના મજૂરનું મોત થયું હતું જ્યારે અન્ય 4 મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ મજૂરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા હતા.

Tags :
amreliAmreli marketing yardamreli newsdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement