ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમરેલીમાં યુવાનની હત્યા મામલે પાંચ યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ

11:32 AM May 26, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

પોલીસે ન્યાયની ખાતરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, જન્મદિવસે જ અંતિમવિધિ કરાતા પરિવારમાં શોક

Advertisement

મૃતકના પરિવારમાંથી એકને સરકારી નોકરી અને જમીન આપવા સહિતની માંગણીઓ

અમરેલીમાં 10 દિવસ પહેલા અનુસૂચિત જાતિના યુવકની હત્યા કરાઈ હતી, જેમાં ઢીલી પોલીસ તપાસ અને ન્યાય નહીં મળ્યાની લાગણી સાથે આજે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન 5ાંચ યુવકોએ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે, પોલીસે તેમને આત્મવિલોપન કરતા રોક્યા હતા અને વોટરકેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો.

ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. ભાવનગર સરકારી હોસ્પિટલમાં બે દિવસથી યુવકનો મૃતદેહ નહીં સ્વીકારીને દલિત સમાજ ધરણાં પર બેઠો હતો. ત્યારે અમરેલીની ઘટનાથી ઉહાપોહ મચી ગયો હતો. તેમજ હાલ પોલીસમાંથી જાણવા મળી રહ્યુ છે કે, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો છે. તેમજ પોલીસે ન્યાય આપવાની ખાતરી આપી હતી. યુવકના જન્મદિવસના દિવસે જ અંતિમવિધી કરાતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

વિગત એવી છે કે, અમરેલીમાં ગત તા.15મીએ બપોરે લાઠીના ચરખડી ગામનો નિલેશ રાઠોડ નામનો યુવક માર્કેટીંગ યાર્ડ નજીક દુકાને ફ્રાઈમ્સ લેવા માટે ગયો હતો, જ્યાં દુકાનદારના દીકરાને પબેટાથ શબ્દથી સંબોધન કર્યું હતું. આ શબ્દ પ્રયોગથી બાળકના પિતા ચોથાભાઈ ભરવાડે ઉશ્કેરાઈને જાતિ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ 15 લોકોને બોલાવીને લાકડી અને કુહાડીથી ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં નિલેશને માથામાં કુહાડીનો જોરદાર ઘા ઝીંકી દેવાતા ગંભીર ઈજા થવાથી સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે 15 શખ્સો વિરૂૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યાં બે દિવસ પહેલા તેનું મોત નીપજતા દલિત સમાજમાં આક્રોશ ફેલાઈ ગયો હતો અને આરોપીઓને તાત્કાલિક પકડવા, કડકમાં સજા કરવા, મૃતક યુવાનનાં પરિવારમાં એક વ્યક્તિને સરકારી નોકરી અને જમીન આપવા સહિતની માંગણી સાથે ધરણાં પર બેસી જઈને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

પરિણામે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કરીને 11 આરોપીઓને ઝડપી લીધા હતા અને બીજા મુદે બે દિવસથી સમજાવટ ચાલતી હતી. આ દરમિયાન આજે બપોરે અમરેલીમાં કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગણી સાથે દલિત સમાજના ટોળા ઉમટી પડયા હતા. જેના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કલેક્ટર કચેરી ખાતે પોલીસના ધાડા ઉતારીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે, અચાનક પાંચ જેટલા દલિત યુવાનોએ પન્યાય આપો.. ન્યાય આપો..થના નારા સાથે સરાજાહેર પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને દિવાસળી ચાંપવાનો પ્રયાસ કરતા હો..હા.. દેકારો મચી ગયો હતો.

જેથી તુરંત જ ત્યાં બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસે તેઓને અટકાવ્યા હતા અને ફાયર બ્રિગેડની મદદથી તેઓની ઉપર વોટરકેનનથી પાણીનો મારો ચલાવીને આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ સાથે પાંચેય યુવાનોને મેડિકલ ચેકઅપ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે કલેક્ટર કચેરી ખાતેથી લોકોને સમજાવટથી પરત મોકલ્યા હતા અને મુખ્ય વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ મામલે પાોલીસે ન્યાય આપવાની ખાતરી આપતા પરિવાર મૃતદેહ સ્વીકાર્યો હતો અને મૃતકના આજે જન્મદિવસના દિવસે અંતિમવીધી કરાતા પરિવારમાં શોક છવાઇ ગયો છે.

Tags :
amreliamreli newscrimegujaratgujarat newsmurder case
Advertisement
Advertisement