ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમરેલી-સોમનાથ-જૂનાગઢ જિલ્લાને ધમરોળતુ વાવાઝોડુ

11:43 AM May 24, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમરેલીમાં તોફાની પવન સાથે સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અનેક વૃક્ષો ધસી પડ્યા, અનેક વિસ્તારો જળ મગ્ન

Advertisement

ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ વાઝડી સાથે વરસાદથી વ્યાપક નુકસાન

ગુજરાતમાં ગઇકાલે સાંજે ફરી કમોસમી માવઠાએ તારાજી સર્જી હતી અને રાજ્યના 18 તાલુકામાં ભારે ઝાપટાથી માંથી સવાત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. ભારે પવનના કારણે અનેક સ્થળે વૃક્ષો અને વીજપોલ તુટી પડ્યા હતા.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં અણધાર્યા વરસાદે જનજીવન પર માઠી અસર પહોંચાડી છે. સૌથી વધુ પ્રભાવિત અમરેલી શહેર રહ્યું છે, જ્યાં માત્ર ગણતરીના કલાકોમાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. મેંદરડા તાલુકામાં પોણા બે ઇંચ (1.73 ઇંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે માંગરોળમાં સવા ઇંચ (1.26 ઇંચ) અને માળીયા હાટીનામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત વંથલી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.અમરેલી જિલ્લાના અન્ય તાલુકાઓ પણ વરસાદથી અછૂતા રહ્યા નથી. લાઠી તાલુકામાં દોઢ ઇંચ (1.30 ઇંચ) જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે બગસરા અને ગારિયાધાર તાલુકાઓમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે, આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. લીમખેડા, ગઢડા, આહવા અને દેવગઢ બારીયા તાલુકાઓમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી.બીજી તરફ ભારે વરસાદ-વાવાઝોડાની આગાહીના પગલે ગુજરાત મત્સ્યોદ્યોગ ખાતાએ અઠી મહિનાનું વેકેશન જાહેર કર્યું. ગુજરાતમાં મત્સ્યોદ્યોગ ખુબ ફુલ્યો ફાલ્યો છે. લાખો લોકો આ વ્યવસાય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાઈ ને રોજગારી મેળવે છે. જુન મહિનાથી વષો ઋતુની શરૂૂઆત થતી હોવાથી દરિયામાં જવું જોખમી હોઈ દર વર્ષ માફક આ વષે યાંત્રિક બોટ દ્વારા તા.01/06/2025 થી 15/08/2025 સુધી માછીમાર પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. તેમ છતાં કોઈ આ પ્રતિબંધ નું ઉલંઘન કરશે તો તેની સામે દંડાત્મક પગલાં ભરાશે.

ગીર પંકથમાં વાવાઝોડુ
ગીર સોમનાથ જિલ્લાના ગીર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. માત્ર 10 મિનિટ માટે ફૂંકાયેલા ભારે વન સાથેના મીની વાવાઝોડાએ ઠેર ઠેર તારાજી સર્જી હોવાના અહેવાલ છે. આ ટૂંકા સમયગાળામાં જ વાવાઝોડાની તીવ્રતા એટલી હતી કે તેના કારણે અનેક મજબૂત વૃક્ષો પણ મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વાવાઝોડાને કારણે મુખ્યત્વે પ્રાચી ઘાંટવડ રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થતાં માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત, ગાંગેથા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની હતી. વૃક્ષો ધરાશાયી થવાને કારણે આંતરિક રસ્તાઓ સહિત મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તાઓ બંધ થતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રસ્તાઓ પરથી વૃક્ષો હટાવીને માર્ગ વ્યવહાર પૂર્વવત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ માલમિલકત અને પર્યાવરણને નુકસાન થયું હોવાનો અંદાજ છે.

ધોરાજીમાં વૃક્ષ ધસી પડ્યું
ધોરાજીના જમનાવડ પીપળીયા રોડ પર વધુ પવન ના લીધે રસ્તા પર વૃક્ષ પડી ગયેલ અને વાહનવ્યવહાર બંધ થતા ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ અને જમનાવાડ ગામના સરપંચ હિતેશભાઈ વાઘમશી ને જાણ થતા તાત્કાલિક માત્ર પંદર જ મિનિટ માં જેસીબી બોલાવી રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતી.

કેશોદ
કેશોદ તા પ્રકાશ દવે દ્વારા શુક્રવાર ની સાંજના સાત વાગ્યા આસપાસ કેશોદમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં અડધા કલાકમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી..... હવામાન વિભાગ ની વાવાઝોડા સાથે વરસાદ ની આગાહી ને પગલે શુક્રવારે સવારથીજ કેશોદમાં અસહ્ય ગરમી અને ઉકળાટ શરૂૂ થઈ ગયો હતો અને સાંજના સાડા છ સાત વાગ્યે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વાઝડી સાથે વરસાદ તુટી પડ્યો હતો.

વેરાવળ-પાટણ

સોમનાથ મંદિર અને આજુબાજુ વિસ્તારમાં સાંજ ના 6 કલાક ના અરસામાં પવન સાથે ગાજ વિજ સાથે જોરદાર વરસાદ શરૂૂ થયેલ હતો અને વિજળી ના જોરદાર કડાકા ભડાકા જોવા મળેલ અને મંદિર નજીક વિજળી ના લીસોટા જોવા મળેલ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે અડદ મગ બાજરી તલ સહિત ની કાપણી ચાલુ હોવાથી ખેતરમાં પાથરા પડેલ છે જે પલળી ગયા અને બાજરા સહિત ના ઉભાં પાકો ઢળી ગયા છે ખેડૂતો ને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે તસ્વીર મા સોમનાથ મંદિર નજીક વિજળી ના લીસોટા જોવા મળેલ અને મંદિર ની બાજુમાં વરસાદ ના પાણી ભરાયાં છે.

વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટો પરત બોલાવવા કવાયત

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે. તો બીજી તરફ ઓનલાઈન સિસ્ટમમાં સર્વર ડાઉન હોવાથી બોટોની પરત એન્ટ્રી નથી થતી.જિલ્લામાં ગત 17 મેથી ફરી ફિશિંગ પર પ્રતિબંધ આવેલ છે. ગુજરાતમાં ચક્રવાતના સંકટની અંબાલાલ પટેલની આગાહી કરી છે. મેના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે. ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સકિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતભરમાં 31 મે સુધી માવઠાની આગાહી છે.

Tags :
Amreli-Somnath-Junagarhcyclonegujaratgujarat newsHeavy Rainrainrain fall
Advertisement
Advertisement