ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમરેલીના મોટા લીલિયામાં ઝેરી જનાવરના ડંખથી 4 વર્ષની બાળાનું મોત

11:23 AM May 06, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

પરિવાર સાથે સાવરકુંડલાથી નાનીની ખબર પૂછી પરત ફરતી વખતે રેલવે સ્ટેશનમાં બની ઘટના

Advertisement

અમરેલીના મોટા લીલીયા ગામે રહેતા પરીવારની 4 વર્ષની બાળકીનુ ઝેરી જનાવર કરડી જવાથી મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. મૃતક બાળકી સાવરકુંડલા ગામે નાનીની ખબર પુછી પરીવાર સાથે ઘરે પરત ફરતી હતી ત્યારે રેલવે સ્ટેશન પાસે ઝેરી જનાવર કરડી ગયુ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ બનાવ અંગે પોલીસમાથી મળતી વિગત મુજબ અમરેલીના મોટા લીલીયા ગામે રહેતી ધ્રુવીબેન જગદીશભાઇ પરમાર નામની 4 વર્ષની માસુમ બાળકી પરીવાર સાથે સાવરકુંડલા ગામે નાનીની ખબર પુછી પરત ફરી રહી હતી ત્યારે મોટા લીલીયા રેલવે સ્ટેશન પાસે ઝેરી જનાવર કરડી જતા માસુમ બાળકીને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવી હતી જયા તેનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમીક પુછપરછમા મૃતક બાળકી એકનાં એક ભાઇની એકની એક મોટી બહેન હોવાનુ જાણવા મળ્યુ છે.

Tags :
amreliamreli newsdeathgujaratgujarat news
Advertisement
Advertisement