રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંક
Advertisement

પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારની ધમકીથી યુવાનનો આપઘાતનો પ્રયાસ

04:40 PM Jul 12, 2024 IST | Bhumika
oplus_32
Advertisement
Advertisement

શહેરમાં મવડી ચોકડી નજીક રહેતા યુવાને 10 માસ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા પ્રેમ લગ્ન બાદ યુવતીના પરિવારની ધાક ધમકીથી કંટાળી યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી ચોકડી પાસે આવેલી માર્કેટ નજીક રહેતા સુનીલ અજયભાઈ પરમાર નામનો 21 વર્ષનો યુવાન માલવીયાનગર પોલીસ સ્ટેશન સામે આવેલા ગણપતિ દાદાના મંદિર પાસે હતો ત્યારે એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર સુનિલ પરમાર બે ભાઈ બે બહેનમાં મોટો છે અને ભંગારની ફેરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે સુનીલ પરમારે જામનગરના જોગવડ ગામની ગામની કિરણબેન સાથે દસ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જે પ્રેમ લગ્ન બાદ કિરણબેનના પરિવારની ધાક ધમકીથી કંટાળી સુનીલ પરમારે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement