રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંક
Advertisement

સદગુરુ પાર્કમાં પત્નીના વિરહમાં ખાણી-પીણીના ધંધાર્થીનો આપઘાત

05:08 PM Feb 27, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા સદગુરુ પાર્કમાં રહેતા ખાણીપીણીના ધંધાથીએ પત્નીના વિરહમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માસુમ પુત્રીએ માતા બાદ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં આવેલા સદગુરુ પાર્કમાં રહેતા હુસેન યુનુસભાઈ ગોપલાણી નામનો 34 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે એંગલમાં કપડું બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

Advertisement

પ્રાથમિક પૂછપરછમાં હુસેન ગોપલાણી બે ભાઈમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે હુસેન ગોપલાણી પૌવાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. હુસેન ગોપલાણીની પત્નીનું સાત વર્ષ પૂર્વે અવસાન થયું હતું પત્નીના અવસાન બાદ ગુમસૂમ રહેતા હુસેન ગોપલાણીએ પત્નીના વિરહમાં આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિતેશ કોઠીવાર સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement