For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાણીપૂરી અને ઈડલી ખાધા બાદ 17 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ

12:03 PM Jul 11, 2024 IST | Bhumika
પાણીપૂરી અને ઈડલી ખાધા બાદ 17 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ
Advertisement

પોરબંદરના રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે આવેલી સરકારી શાળામાં ગત રાત્રિના પાણીપુરી અને ઇડલી ખાધા બાદ 21 જેટલી છાત્રાઓને ફુડ પોઈઝનિંગ થતાં ભારે ભાગદોડ મચી ગઇ હતી અને તમામને સારવાર માટે રાણાવાવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે આવલી કસ્તુરબા ક્ધયા છાત્રાલયામાં ગઇકાલે મંગળવારની રાત્રિના વિદ્યાર્થિનીઓને જમવામાં પાણીપુરી અને ઇડલી આપવામાં આવી હતી. ત્યાર બાદ આજે સવારે 21 જેટલી છાત્રાઓને પેટામાં દુ:ખાવો અને ગાળામાં બળતરા શરૂૂ થતાં શાળાના સંચાલકોએ તુરત જ આ વિદ્યાર્થિનીઓને સારવાર માટે રાણવાવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જયાં ફરજ પરના તબીબોએ તુરંત જ સારવાર આપી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીનીઓને વધારે અસર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ તમામ વિદ્યાર્થિનીઓ ભયમુક્ત હોવાનુ તબીબે જણાવ્યું હતું. શાળાના સંચલાકોના જણાવ્યા અનુસાર તમામ વિદ્યાર્થિનીઓની તબિયત સારી છે અને તે પરત છાત્રાલય ખાતે આવી છે આથી વાલીઓ ચિંતા ન કરે આ બનાવને લઇ ભારે ચર્ચા જોવા મળી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement