જિલ્લાની તમામ કોર્ટોમાં તા.9 ડિસે.ના રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન
જામનગર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.9.12.23 ના રોજ જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં , ફોજદારી સમાધાનપાત્ર કેસ , નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબના ચેકનાં કેસ , બેંક રીકવરી દાવા , એમ.એ.સી.પી.નાં કેસ, લેબર તકરારના કેસ , લગ્ન વિષયક તકરારના કેસ , વીજળી અને પાણી બિલ ( સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ , કૌટુંબિક તકરારના કેસ , જમીન સંપાદનના કેસ ,.સર્વિસ મેટર ના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ , રેવન્યુ કેસ ( ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ) , અન્ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વગેરે ના કેસો માટે.ની નેશનલ લોક અદાલત નું નાલ્સા ના એકશન પ્લાન મુજબ આયોજન કરાયું છે. આથી જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને જણાવાયું છે કે, તેઓના ઉપરોકત પૈકીના પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વકીલ મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટના કેસ લોક અદાલતમાં મુકવા સંપર્ક કરવો. લોક અદાલત એ તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગરનો ફોન નં. 2550106 ઉપર સંપર્ક કરવો તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે જિલ્લા/તાલુકા કોર્ટનો સંપર્ક કરવા સિનિયર સિવિલ જજ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરની યાદીમાં જણાવાયું છે.