ભાગેડુ નીરવ મોદી પર પલાશ વાસવાણી બનાવશે ફિલ્મ
એબન્ડેન્ટિયા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવાશે
પંજાબ નેશનલ બેંક કૌભાંડ ભારતમાં સૌથી મોટા અને સૌથી વધુ ચર્ચિત કૌભાંડોમાંનું એક છે. આ કામ ઉદ્યોગપતિ નીરવ મોદીએ કર્યું હતું. નીરવ મોદીએ એવી યુક્તિ રમી હતી જેના પર હવે ફિલ્મ બનવા જઈ રહી છે. હિન્દી સિનેમાના આ ટોચના અભિનેતા ભાગેડુ નીરવ મોદીની ભૂમિકામાં જોવા મળશે. 13,000 કરોડ રૂૂપિયાના આ કૌભાંડના એક પછી એક સ્તર હવે સિનેમાની દુનિયામાં ખુલ્લા પડવા માટે તૈયાર છે. એક અહેવાલ મુજબ, હવે ગુલક વેબ સિરીઝ ફેમ ડિરેક્ટર પલાશ વાસવાણી નીરવ મોદીના કાળા કાર્યોને સિનેમા દ્વારા દર્શકો સમક્ષ લાવવા જઈ રહ્યા છે.
નિર્માતા વિક્રમ મલ્હોત્રા તેમને ટેકો આપશે. નીરવની બાયોપિક એબન્ડેન્ટિયા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવશે જે પવન સી. લાલના પુસ્તક નફ્લોયડ: ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ઇન્ડિયાઝ ડાયમંડ મોગલ નીરવ મોદીથ પર આધારિત હશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કયો અભિનેતા ભજવશે તે હજુ સુધી જાહેર થયું નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાગેડુ નીરવનું પાત્ર બોલિવૂડના એક એ-લિસ્ટર અભિનેતા દ્વારા ભજવવામાં આવશે.
--