ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રઈસ ફિલ્મ સામે બદનક્ષી કેસમાં શાહરૂખ ખાનને હાઈકોર્ટની રાહત

05:11 PM Jul 11, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ગેંગસ્ટર લતીફના વારસદારોના કેસમાં નીચલી અદાલતનો વાદી તરીકે ગણવાનો હુકમ રદ

Advertisement

આઠ વર્ષ જૂના બદનક્ષીના દાવામાં અભિનેતા શાહરૂૂખ ખાન અને હિન્દી ફિલ્મ રઈસના નિર્માતાઓને થોડી રાહત આપતા, ગુજરાત હાઈકોર્ટે બુધવારે નીચલી અદાલતના આદેશને રદ કર્યો હતો જેમાં ગેંગસ્ટર અબ્દુલ લતીફના વારસદારોને કેસમાં વાદી તરીકે સામેલ કરવાની મંજૂરી આપી હતી. આ ફિલ્મ જાન્યુઆરી 2017માં રિલીઝ થઈ હતી. ખાનનું પાત્ર અબ્દુલ લતીફ પર આધારિત હોવાનું કહેવાય છે.

તેમના પુત્ર મુસ્તાક અન્દુલ લતીફ શેખે 2016 માં શાહરૂૂખ ખાન અને અન્ય લોકો સામે બદનક્ષીનો દાવો કર્યો હતો અને ફિલ્મમાં તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવા બદલ બદનક્ષીનો દાવો દાખલ કર્યાની તારીખથી 18% વ્યાજ સાથે રૂૂ. 101 કરોડનું નુકસાન માંગ્યું હતું. મુસ્તાકનું 6 જુલાઈ, 2020 ના રોજ અવસાન થયું.

સિટી સિવિલ કોર્ટે 27 એપ્રિલ, 2022 ના રોજ, મુસ્તાકની વિધવા અને બે પુત્રીઓ દ્વારા બદનક્ષીના દાવામાં વાદીખાન અને અન્યોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

નીચલી અદાલતે શાહરૂૂખ ખાન અને અન્ય લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને બાજુ પર મૂકીને અરજીને મંજૂરી આપી હતી કે ફરિયાદીના મૃત્યુ પછી માનહાનિનો દાવો ટકી શકશે નહીં. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, શાહરૂૂખ ખાન, તેની પત્ની ગૌરી ખાન, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, ફરહાન જાવેદ અખ્તર અને રાહુલ ધોળકિયાએ આ આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. બુધવારે, હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશને બાજુ પર રાખ્યો હતો.

Tags :
EntertainmentEntertainmentnewsindiaindia newsshahrukhkhan
Advertisement
Advertisement