For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અભિનેતા અક્ષય કુમાર કોરોનાની ચપેટમાં, પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ ખુદને કર્યા આઈસોલેટ

02:34 PM Jul 12, 2024 IST | Bhumika
અભિનેતા અક્ષય કુમાર કોરોનાની ચપેટમાં  પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ ખુદને કર્યા આઈસોલેટ
Advertisement

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ સરફીરે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અભિનેતાએ ખૂબ જ ઉત્સાહ સાથે તેની ફિલ્મનું પ્રમોશન કર્યું. પરંતુ દુર્ભાગ્યે હવે તે ફિલ્મના પ્રમોશનના અંતિમ તબક્કાનો ભાગ બની શકશે નહીં. ઉપરાંત, તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સામેલ થઇ શકશે નહિ. અક્ષય કુમાર કોરોનાની ચપેટમાં આવ્યો છે. અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેણે પોતાને આઈસોલેટ કરી લીધો છે. માત્ર અક્ષય કુમાર જ નહીં, 'સરફિરા'ની ટીમના કેટલાક અન્ય લોકો પણ કોરોના પોઝિટિવ મળ્યા છે.

નજીકના સૂત્રોનું માનીએ તો અક્ષય કુમાર પોતાની ફિલ્મ સરફિરાના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો. પ્રમોશન સમયે તેમની તબિયત બગડવા લાગી હતી. પછી તેને માહિતી મળી કે પ્રમોશન ટીમના કેટલાક ક્રૂ મેમ્બર કોવિડ પોઝીટીવ મળી આવ્યા છે. આ માહિતી મળ્યા પછી, તેણે તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો અને શુક્રવારે સવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

Advertisement

સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, 'પોઝિટિવ ટેસ્ટને કારણે, અભિનેતા ન તો 'સરાફિરા'ને પ્રમોટ કરશે અને ન તો અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપશે.' સૂત્રએ એ પણ કહ્યું કે અક્ષયે એક જવાબદાર વ્યક્તિ હોવાને કારણે તરત જ પોતાને અલગ કરી લીધો હતો અને હાલમાં તે ક્વોરેન્ટાઇનમાં છે.

અક્ષય કુમારની ફિલ્મ સરફિરાની વાત કરીએ તો આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને સારા વ્યુઝ મળી રહ્યા છે પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી કમાણી કરે છે તે જોવાનું રહ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement