કાલે અમાસનાં દિવસે શની ગ્રહનો મિન રાશીમાં પ્રવેશ
મકર રાશીના જાતકોને સાડાસાતી પૂર્ણ અને મેષ રાશીના જાતકોને સાડાસાતી શરૂ થશે: જાણો દરેક રાશી પર થતી અસર
29 માર્ચ શનિવારે અમાસના દિવસે શની ગ્રહ મીન રાશીમાં પ્રવેશ કરશે. ફાગણ વદ અમાસને શનિવાર તા.29 માર્ચના રાત્રીના 9.49 કલાકે શની ગ્રહ મીન રાશીમાં પ્રવેશ કરશે અને 3 જુન 2027 સુધી શની ગ્રહ મીન રાશીમાં રહેશે. નવ ગ્રહોમાં શનીની ગતી સૌથી મંદ હોય છે આથી જ શની આસરે અઢી વર્ષ સુધી એક રાશીમાં રહે છે. શની ગ્રહના મીન રાશીમાં પ્રવેશથી મકર રાશીના જતકોનો સાડાસાતી પુર્ણ થશે અને મેષ રાશીના જાતકોની સાડાસાતી પુર્ણ થશે અને મેષ રાશીના જાતકોને સાડાસી શરૂ થશે. શની ગ્રહના મીન રાશીના પ્રવેશ સમયે ગોચરમાં ચંદ્ર મીન રાશીમાં છે. બાર રાશીના જાતકોને મીન રાશીનો શની શું ફળ આપશે તે જાણીઓ
(1) મેષ રાશી (અ.લ.ઇ.) : મેષ રાશીના જાતકોને સાડાસાતીનો પહેલો તબક્કો શરૂ થશે માથેથી શની પસાર થશે લોઢના પાયે છે આથી મહેનત વધારે કરાવો ખર્ચા ઉપર કાબુ રખવો જરૂરી ખોટી દોડધામથી બચવું જરૂરી બનશે. કોઇના જગડામાં પડવું નહીં મોટી લોન લેવી નહીન અને જો લેવી પડે તો આયોજન પુર્વક લેવી માથાનો દુ:ખાવો માથાની બીમારીની ફરીયાદ રહી શકે છે.
દરરોજ પાંચ વાર અથવા સાત વાર હનુમાન ચાલીસાના પાઠ કરવા શનિવારે હનુમાનજીના મંદિરે શનીદેવના મંદિરે દર્શન કરવા જવું 32 શનિવારના એકટાણા રહેવા.
(2) વૃષભ રાશી (બ.વ.ઉ.) : વૃષભ રાશીના જાતકોને મીન રશીનો શની લાભ સ્થાનમાંથી પસાર થશે. એકંદરે પ્રગતીકાર ગણાય. જન્મના ચંદ્ર ઉપર શનીની દ્રષ્ટી પડતા મન મોટું રાખવું કાવાદાવામાં પડવું નહીં કાવાદાવા કરવા નહીં. ગેસની બીમરી રહે. વિદ્યાર્થીગણ માટે સારો સમય ગણાય. શની સપોર્ટ કરશે. વારસાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.
(3) મિથુન રાશી (ક.છ.ધ.): મિથુન રાશીના જાતકોને શની ગ્રહ કર્મભુવનમાંથી પસાર થશે. વ્યાપારમાં પ્રગતી થાય નોકરીમાં પ્રમોસનના યોગ બને. વ્યશનોથી દુર રહેવું જરૂરી બનશે. દાંમ્પત્ય જીવનમાં મીઠાશ રાખવી જરૂરી વિવાહ ઇચ્છુક યુવક-યુવતીને વિવાહમાં વિલંબ થઇ શકે છે.
(4) કર્ક રાશી (ડ.હ.): કર્ક રાશીને 29 માર્ચથી શનીની નાની પનોતીમાંથી રાહત મળશે. કર્ક રાશીના જાતકળોની મીન રાશીનો શની ભાગ્ય ભુવનમાંથી પસાર થશે. જે જન્મનો શની તથા ગ્રહો સારા હશે તો ભાગ્યબળમાં વધારો થાય જીવનમાં લભ મળવની શકયતા ખરી. મહેનતનું ફળ સારૂ મળે નાના ભાઇ બહેનનો સાથ સહકાર રહી શકે છે. ધાર્મીક મુસાફરી સારી થાય પુજા પાઠ જપ તપમાં ધ્યાન આપવું લાભ મળશે.
(5) સિંહ રાશી (મ.ટ.) : સિંહ રાશીના જાતકોને શનીની નાની પનોતી લોઢાના પાયે પસાર થશે. વારસાકીય પ્રશ્નોમાં વિલંબ થાય નોકરીમાં ઉપરી અધિકારી સાથે તાલ મેલ રાખવો જરૂરી બનશે. વ્યાપારમાં પુરતુ ધ્યાન આપવું જરૂરી બનશે. દરરોજ સુર્યને અર્ગ આપવું. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા દર શનિવારે શની દેવના મંદિરે જવું. 32 શનિવારના એકટાણા રહેવા.
(6) ક્ધયા રાશી (પ.ઠ.ણ.) : ક્ધયા રાશીના જાતોને શની ગ્રહ સાતમા સ્થાનેથી પસાર થશે. લગન ઇચ્છુક યુવક યુવતીઓને વિવાહમં વિલંભ થઇ શકે છે. વિચારો ઉપર કાબુ રાખવો. જતુ કરવની ભાવના રાખવી. ઘરમાં શાંતી ભર્યું વાતાવરણ ધાર્મીક વાતાવરણ રાખવું. ભાગીદારી વ્યાપારમાં સાવચેતી રાખવી.
(7) તુલા રાશી (ર.ત.): તુલા રાશીના જાતકોને શની ગ્રહ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે. શત્રુ દુર થાય મોસાળ સાથે તાલમેલ રહે. વારસાકીય પ્રશ્નોનો ઉકેલ આવે બચતોનું જોર રાખવું. મહેનત પુરતી કરવી.
(8) વૃશ્ર્ચિક રાશી (ન.ય.): વૃશ્ર્ચિક રાશીના જાતોનો શનીની નાની પનોતી પુર્ણ થશે. જીવનમાં થોડી રાહત મળશે. દામ્પત્ય જીવનમાં મધુરતા રાખવી તાલમેલ રાખવો. જો ભાગીદારીમાં વ્યાપાર હોય તો સાવચેતી પુર્વક વ્યાપાર કરવાથી લાભ મળી શકે છે. ધાર્મીક કાર્યો કરવા અથવા તેમાં સાથ સહકાર આપવો. આંખની તથા દાતની બીમારી નો આવે તેનો ખ્યાલ રાખવો.
(9) ધન રાશી (ભ.ફ.ધ.): ધન રાશીના જાતકોને શની સાત ભવનમાંથી પસાર થશે. નાની પનોતી લોઢાના પાયે શરૂ થશે. ઘરમાં પરિવારમાં શાંતી ભર્યું વાતાવરણ રાખવું. વ્યાપાર નોકરીમાં પુરતુ ધ્યાન રાખવુંં છુપા શત્રુ કોર્ટ કજીયાથી દુર રહેવું ધાર્મીક જીવન પસાર કરવું. ભક્તિ કિર્તન કરવા લાભ થશે.
(10) મકર રાશી (બ.જ.): મકર રાશીના જાતોની શનીની મોટી પનોતી પુણર થશે જીવનમાં રાહત મળશે. મહેનતનુ ફળ પુરતુ મળશે. જો જન્મના ગ્રહ સારા હોય તો ભાગ્યોદય થશે ખોટા ખર્ચા કરવા નહીં. વિદ્યાર્થી લોકોએ વિદ્યા અભ્યાસમાં પુરતુ ધ્યાન આપવાથી સારી સફળતા મળશે. વ્યશનોથી દુર રહેવું.
(11) કુંભ રાશી (ગ.શ.સ.) કુંભ રાશીના જાતોને શનીની મોટી પનોતીનો ત્રીજો તબક્કો પસાર થશે. જે ઉપાની પાયે હશે. લક્ષ્મીદાયક છે. બેન્ક બેલેન્સમાં વધારો થવાની શકયતા ખરી. બચતોનું જોર રાખવું જો વારસાગત કોઇ બીમરી હોય તો તેમાં સાવચેતી રાખવી. ધાર્મીક પુજા પાઠ રવાથી અથવા કરાવવાથી જીવનમાં લાભ મળી શકે છે. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા.
(12) મની રાશી (દ.ચ.ઝ.થ): મીન રાશીના જાતકોને શનીની પનોતી છાતીએથી પસાર થશે. સોનાના પાયે છે. ચિંતા દાય ગણાય માનસીક બેચેની રહે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બને. મહેનત કરવાથી પુરતુ ફળ મળે. જીવનમાં માન- સન્મન મળવાના યોગ ખરા. ખોટી ચિંતા કરવી નહીં. ખોટા વિચરો કરવા નહીં. કાવાદાવા કરવા નહીં સારૂ ધાર્મીક વાચન કરવું. દરરોજ હનુમાન ચાલીસાની પાંચ કે સાત અથવા અગીયાર પાઠ કરવા ગુરૂ મંત્રના જાપ કરવા પનોી પીડામાંથી રાહત મળશે. ખાસ કરીને લોકો નાની મોટી પનોતી દરમ્યાન ઉતાવળીયો નિર્ણય લઇ અને ભુલ કરતા હોય છે તે આખી જીંદગીભર ભોગવુ પડે છે. આથી જ પનોતી દરમ્યાન કોઇ સારા વડીલની સલાહ લઇ અને દરેક મોટા કાર્યો કરવા અથવા સમય અંતરે સારા જયોતીષની સલાહ લઇ કુંડળી પ્રમણે જે ગગહ પરિસ્થિતી હોય તે પ્રમાણે આગળ વધવું. જેનાથી પનોતીની પીડા ઓછી થાય છે. પનોતીમાં કસોટીવાળો સમય શાંતીથી પસર કરવો ઘણીવાર પનોતી લાભ પણ આપી જાય છે.
ખાસ કરીને પનોતી દરમ્યાન સાર નરસાની ખબર પડે છે. પનોતી દરમ્યાન શેર સટ્ટો રમવા નહી કોઇ પણ જાતના જીગરથી દુર રહેવું. આરોગ્યનું ધ્યાન રાખવું. ભક્તિ મય જીવન પસાર કરવાથી પનોતીની પીડા ઓછી નડે છે. શનીની પનોતી દરમ્યાન શનિવારે અળદ, પગરખા કાળી ઓઢવાની ચાદર કાળી છત્રીનું દાન કરવું ગરીબોને ભોજન કરાવું શનીના જપ કરાવાથી શનીની પનોતીમાંથી રાહત મળે છે.
ભારત દેશની કુંડળી પ્રમાણે શની ગ્રહ લાભ સ્થાનમાંથી પસાર થશે. જેથી ધાર્મિક ક્ષેત્રે દેશ પ્રગતી કરશે.
શનીની ત્રીજી દ્રષ્ટી લગ્નમાં પડતા લોકોએ આરોગ્યનુ ધ્યાન રાખવું જરૂરી બનશે. વિધા- અભ્યાસ ક્ષેત્રે હજુ પણ નવા નિયમ આવી શકે છે. એક દેશ એક જ અભ્યાસ ક્રમ આવી શકે છે.
ડોલર સામે રૂપીયો હજુ પણ નબળો પડવાની શકયતા ખરી અનાજના ભાવમાં વધારો થઇ શકે છે. ખાસ કરીને શની ગ્રહને ન્યાયના દેવતા માનવામાં આવે છે. આથી તમારી જન્મકુંડળી પ્રમાણે તમારા કર્મો પ્રમાણે શની ગ્રહ સારૂ નરશુ ફળ આપશે.
પનોતી દરમ્યાન કર્મો ચોખ્ખા રાખવા ખાસ જરૂરી. આમ તો ભ્રષ્ટાચારથી આજીવન દુર રહેવું સારૂ ગણાય તેમા પણ પનોતી દરમ્યાન ભ્રષ્ટાચાર કરનાર અને કરાવનારથી ખાસ દુર રહેવું અને પોતે પણ ભ્રષ્ટાચાર કરવો નહીં. નહીતર પનોતી દરમ્યાન આજીવન પરનાવું પડી શકે છે.
શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)