ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આવતીકાલથી સ્પામ કોલ, મેસેજ પર અંકુશ આવશે: ઓટીપીમાં વિલંબ નહીં

05:02 PM Dec 10, 2024 IST | Bhumika
Advertisement

હવે દેશભરના કરોડો મોબાઈલ યુઝર્સને સ્પામ મેસેજથી કાયમ માટે રાહત મળવા જઈ રહી છે. ટ્રાય સમગ્ર દેશમાં કોમર્શિયલ મેસેજને ટ્રેક કરવા માટે મેસેજ ટ્રેસેબિલિટી નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે.

Advertisement

મહત્વનું છે કે ટ્રાયએ તમામ ટેલિકોમ ઓપરેટર્સને મેસેજ ટ્રેસેબિલિટી લાગુ કરવા માટે 30 નવેમ્બર 2024 સુધીનો સમય આપ્યો હતો. આ નિયમ 1 ડિસેમ્બરથી લાગુ થવાનો હતો, પરંતુ બાદમાં સર્વિસ પ્રોવાઈડરની માંગણી પર 10 દિવસનો વધારો આપવામાં આવ્યો હતો. ટ્રાઈ આ નિયમોને 11મી નવેમ્બર એટલે કે આવતીકાલથી લાગુ કરવા જઈ રહી છે. આનો અર્થ એ છે કે 11 ડિસેમ્બરથી, તમને તે સંદેશા પ્રાપ્ત થશે નહીં જે ટેલિમાર્કેટિંગનો ભાગ નથી.

મેસેજ ટ્રેસેબિલિટીના અમલીકરણ પછી, કોમર્શિયલ મેસેજ અને ઓટીપી સંબંધિત મેસેજ સરળતાથી ટ્રેક કરી શકાય છે. તેનાથી ટેલિકોમ ઓપરેટરોને સ્પામ મેસેજ અને ફેક મેસેજને રોકવામાં પણ મદદ મળશે. મેસેજ ટ્રેસિંગના અભાવનો ફાયદો ઉઠાવીને મોબાઈલ યુઝર્સને વિવિધ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી રહી છે, પરંતુ હવે આ પર પણ અંકુશ આવશે.

ઉલ્લેખનીય છે કે જ્યારે ટ્રાયને ઓટી આધારિત મેસેજને ટ્રેક કરવા માટે પહેલીવાર ટ્રેસેબિલિટી લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારે એવું માનવામાં આવતું હતું કે આનાથી ઓટીપી મેળવવામાં વિલંબ થઈ શકે છે. પરંતુ બાદમાં ટ્રાઈએ આ વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.

આ વિશે માહિતી આપતા ટ્રાઈએ કહ્યું હતું કે, મોબાઈલ યુઝર્સની સુવિધા માટે ઓટીપી ટ્રેસેબિલિટી લાગુ કરવામાં આવી રહી છે. આ સાથે આ નવા નિયમથી પારદર્શિતા પણ આવશે. ટ્રાઈએ કહ્યું કે ટ્રેસિબિલિટી લાગુ થયા પછી પણ ઓટીપી સમયસર યુઝર્સને ડિલિવર કરવામાં આવશે.

Tags :
indiaindia newsSpam callstechnology
Advertisement
Next Article
Advertisement