For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાડીનાર જેટી પરથી દરિયામાં પટકાયેલા યુવાનનું અપમૃત્યુ

10:58 AM May 13, 2024 IST | Bhumika
વાડીનાર જેટી પરથી દરિયામાં પટકાયેલા યુવાનનું અપમૃત્યુ
Advertisement

  ખંભાળિયા - જામનગર હાઈવે પર આવેલા વાડીનાર ગામે જેટીથી 10 કી.મી. દુર દરિયામાં ટગ પાસે રમેશભાઈ સંદાયા મલાયલી (ઉ.વ. 28) નામના યુવાન દરિયામાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ નેહલભાઈ જીતેન્દ્ર લાલજી સોલંકી (ઉ.વ. 29, રહે. હાલ વાડીનાર) એ સ્થાનિક પોલીસને કરી છે. 

ખંભાળિયામાં હિંમતનગરના વેપારીનો મોબાઈલ ચોરાયો

 સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રહેતા મૌલિકકુમાર વિનોદકુમાર પટેલ નામના 31 વર્ષના વેપારી યુવાનનો વિવો કંપનીનો ફોન ગત તારીખ 11 ના રોજ અત્રે હાઈવે પર આવેલી મઢૂલી હોટલ પાસેથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ખંભાળિયામાં પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી

Advertisement

 ખંભાળિયા નજીકના સલાયા સર્કલ પાસેથી ટ્રાફિક પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર રૂપિયા બે લાખની કિંમતની જી.જે. 07 ડી.સી. 5866 નંબરની ઈક્કો મોટરકાર લઈને નીકળેલા સોડસલા ગામના દેવશી ઉર્ફે દેવ પુનાભાઈ પરમાર (ઉ.વ. 21) ને તથા રૂપિયા 30,000 ની કિંમતના મોટરસાયકલ પર નીકળેલા મધુસુદન ઉર્ફે લાલો રમણીકલાલ અગ્રાવત (ઉ.વ. 40, રહે. કુંભાર વાડો - ખંભાળિયા) ને ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
Advertisement
Tags :
Advertisement
Advertisement