For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

12:50 PM Jun 12, 2024 IST | admin
ભાવનગરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર

Advertisement

ભાવનગર શહેરમાં ઘોઘાસર્કલ નજીક યુવાન ઉપર ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતા ગંભીર હાલતે હોસ્પીટલે ખસેડાતા યુવાનનું મોત નિપજયું છે.ખુનનાં આ બનાવ અંગેની વિગતો એવી છે કે શહેરના ખેડુતવાસ વિસ્તારમાં રહેતો મનીષ કાંતીભાઇ સોલંકી ઉ.વ.23 રાત્રીનાં સમયે ઘોઘા સર્કલ વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે ત્રણ શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરી નાસી છૂટયા હતા. લોહીયાળ હાલતે ગંભીર રીતે ઘવાયેલા મનીષને સારવાર માટે સરટી હોસ્પીટલ ખસેડાયેલ જયાં આજે સવારે તેનું મોત નિપજયું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.દરમ્યાન મૃતક યુવાનનાં પિતા કાંતીભાઇ વિઠ્ઠલભાઇ સોલંકીએ સીસીટીવી કેમેરાનાં ફુટેજને આધારે આરોપીઓને ઝડપી લેવા પોલીસને રજુઆત કરી છે અને જયાન સુધી આરોપીઓ ઝડપાશે નહીં ત્યાં સુધી યુવાનનો મૃતદેહ સ્વીકારાશે નહીં તેમ જણાવ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement