For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરમાં પ્રેમિકા અને પરિવારજનોના ત્રાસથી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

01:41 PM May 20, 2024 IST | Bhumika
જેતપુરમાં પ્રેમિકા અને પરિવારજનોના ત્રાસથી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
Advertisement

જેતપુરના દરબારગઢ ચોકમાં રહેતા 33 વર્ષીય યુવાને પ્રેમીકાના પરિવારજનોના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો તેને લખેલી સ્યુસાઈટનોટના આધારે પોલીસે આ મામલે સાતા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં પાંચની ધરપકડ કરવામાં આવી છે.

જેતપુરના દરબારગઢ વિસ્તારમાં રહેતા 33 વર્ષીય જયેશ શોર્યા નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જયેશે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઈટ નોટ મળી આવી હતી જેમાં આપઘાત પાછળનું કારણ જયેશની પ્રેમીકાના પરિવારજનોના ત્રાસથી કંટાળી તેને આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. આ મામલે જયેશના પરિવારજનોએ જેતપુર પોલીસ મથકમાં યુવતિના પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં હિનાબેન ડાભી, દિલીપભાઈ ડાભી, રાહુલભાઈ ડાભી, સ્વાતિબેન ડાભી, રાધીકાબેન બસિયા, ચેતન બસિયા અને મનોજ ગીરીશ પરમારનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવકના છુટાછેડા થયા બાદ મૈત્રી કરારથી યુવતિ સાથે રહેતો હોય અને પ્રેમીકાએ રૂપિયા 15 લાખ પડાવ્યા હોય વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા તેણે આ પગલું ભર્યુ હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement