For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં દોઢ વર્ષ પૂર્વે લગ્ન કરનાર યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

12:20 PM Dec 26, 2023 IST | Sejal barot
ભાવનગરમાં દોઢ વર્ષ પૂર્વે લગ્ન કરનાર યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

શહેરના કુંભારવાડા નારી રોડ નજીક રહેતા અને સાઉન્ડ સિસ્ટમનો ધંધો કરતા યુવકે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. આપઘાતનું કારણ જાણવા ભાવનગર પોલીસે વધુ તપાસ જારી રાખી છે. મૃતકના દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા આપઘાત પાછળ આર્થિક ભીંસ જવાબદાર છે કે અન્ય કોઈ? એ અંગે હાલ પરિવારજનોના પણ નિવેદન લેવાયા હતાં.
વિગતો મુજે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને વિનાયક સાઉન્ડ સિસ્ટમ નો વ્યવસાય કરતા શૈલેષભાઇ ભાવુભાઇ બારૈયા ઉ.વ.24 એ કોઇ અગમ્ય કારણોસર તેમના ઘરે ગળાફાંસો ખાઇ લેતા ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેમનું ટુંકી સારવાર બાદ મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. મરનાર યુવકના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. આ બધા અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement