દ્વારકા જવા પ્રશ્ર્ને પતિ સાથે ચડભડ થતાં પત્નીનો આપઘાત
04:26 PM Jun 07, 2024 IST | Bhumika
Advertisement
કુવાડવા રોડ પર ગારીડા ગામે રહેતી પરણીતાને તેમના પતિ સાથે દ્વારકા જવા મામલે ચડભડ થતાં બે દિવસ પહેલા ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાતા તેમનું મૌન નિપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગરીડા ગામે રહેતા રંજનબેન રાહુલભાઈ ધોરિયા (ઉ.વ.32)એ ગઈ તા. 4ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવારમાં ખસેડી હતી. જ્યાં ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. રંજનબેનના લગ્નને નવ વર્ષ થયા હતાં. તેમને સંતાનમાં પુત્ર છે. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ પી.જી. ઝાલા અને સ્ટાફે તપાસ કરતા રંજનબેનને પરિવાર સાથે દ્વારકા જવું હતું પરંતુ પતિને આવુ ન હોય બન્ને વચ્ચે માથાકુટ થયા બાદ રંજનબેને આ પગલું ભરી લીધું હતું. આ અંગે એરપોર્ટ પોલીસના સ્ટાફે તપાસ કરી હતી.
Advertisement
Advertisement