અમે સરકાર રચવા તૈયાર, કોંગ્રેસના દાવાથી ખળભળાટ
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચોંકાવનારૂૂ પરિણામા આવ્યું જેમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યું નથી. જોકે, એનડીએ સરકાર બનાવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે નરેન્દ્ર મોદી 9 તારીખે શપત લેશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ખુબ મોટો દાવો કરવામાં આવ્યો છે. તમને જણવી દઇએ કે, ગઉઅની સરકાર બનાવવાની કવાયત વચ્ચે કોંગ્રેસ દ્વારા સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે. ભારતમાં નવી સરકાર બનાવવા બાબતે કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું કે, અમે સરકાર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર છીએ વધુમાં કહ્યું કે, અમે અમારુ ન્યાય પત્ર લાગુ કરવા માટે સંપૂર્ણ તૈયારથ પવન ખેરાએ કહ્યું કે, અમે દેશના તમામ વર્ગની ચિંતા કરીએ છીએ, સામાન્ય જનતાની ચિંતા દૂર કરવા અમારે સરકારમાં આવવું પડશે, જેમને આ ચિંતા છે તેવા પક્ષોને અમે સાથે આવવા આમંત્રણ આપ્યું છે. નોંધનીય છે કે, તેમના આ દાવા પછી પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું ઇન્ડિયા ગઠબંધન ખરેખર સરકાર બનાવી રહીં છે.
વધુમાં કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું કે, રાજનીતિમાં ક્યારેય ફૂલ સ્ટોપ નથી હોતો, INDIA ગઠબંધન પોતાની શક્તિ અને પરિવાર વધારી રહ્યું છે. સંવિધાનની રક્ષા માટે તત્પર તમામ દળોનું સ્વાગત કરીએ છીએ. સંવિધાનના રક્ષા માટે તત્પર તમામ દળો માટે દરવાજા ખુલ્લા છે અને ટૂંક સમયમાં જ તમને ખબર પડી જશે. જો કે, તેમણે એ ઉલ્લેખ નથી કર્યો કે કેટલા સમાયમાં સરકાર બનાવશે. આ બાબતે પવન ખેરાએ કહ્યું કે,કેટલા સમયમાં પરિવાર પૂર્ણ થશે તે વિશે કહેવાય નહીં.