For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસના કાર્યાલય ઉપર વિ.હિ.પ.-બજરંગદળનું હલ્લાબોલ

04:06 PM Jul 02, 2024 IST | Bhumika
કોંગ્રેસના કાર્યાલય ઉપર વિ હિ પ  બજરંગદળનું હલ્લાબોલ
Advertisement

રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર કાળો સ્પ્રે છાંટયો, કાર્યાલયને કરી તાળાબંધી

ચોકીદાર અને તેની સગર્ભા પુત્રીને માર માર્યાનો કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલનો આક્ષેપ

Advertisement

સંસદમાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિંદુવાદ વિશે ભાજપને પડકારવામાં કેટલીક વિવાદી ટિપ્પણીઓ કરી દેતા હિંદુ સંગઠનોએ રાહુલ ગાંધી સામે મોરચો ખોલી દીધો છે અને અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળે હલ્લાબોલ કરી રાહુલ ગાંધીના ફોટો ઉપર સ્પ્રે છાંટી બેનરોમાં તોડફોડ કરતા ભારે ચકચાર જાગી છે. આ ઘટનાના કોંગ્રેસમાં પણ ઘેરા પડઘા પડયા છે અને કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાને વખોડી કાઢી છે.

બીજી તરફ લોકસભાની ચુંટણીમાં નબળા દેખાવથી ભીંસમાં મુકાયેલ ભાજપે આ મુદે હવે રાહુલ ગાંધી સામે લાંબુ આંદોલન ચલાવી હિંદુવાદના મુદ્દે કોંગ્રેસને ઘેરવા રણનીતિ બનાવી હોવાનું જાણવા મળે છે.અમદાવાદમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પહોંચીને ભારે ધમાલ કરી હતી. એટલું જ નહીં રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળો સ્પ્રે છાંટીને બેનરો ફાડ્યા હતા. સમગ્ર ઘટના બાદ પોલીસનો કાફલો કોંગ્રેસના કાર્યાલયની બહાર ખડકી દેવામાં આવ્યો હતો.

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો ભારે રોષ સાથે પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરી હતી. રાહુલ ગાંધીના પોસ્ટર્સ પર હિન્દુ સંગઠનના કાર્યકરોએ કાળો સ્પ્રે માર્યો હતો અને પહિન્દુ મતલબ હિંસાથ લખેલા રાહુલ ગાંધીના પોસ્ટર્સ લગાવ્યા હતા.કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈકાલે રાતે બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં ગેટ કૂદીને પ્રવેશ કર્યો હતો. બનાવની જાણ થતાં કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં જઈને ફાટેલા પોસ્ટર અને બેનર હટાવવામાં આવ્યા છે. તેમજ પેઇન્ટ કરેલા બેનર પર સફેદ સ્પ્રે મારવામાં આવ્યો છે. રાહુલ ગાંધીના જે ફોટા પર સ્પ્રે મારવામાં આવ્યા છે તે ફોટા પણ હટાવી લેવામાં આવ્યા છે. પોલીસને જાણ થતાં કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધીરે ધીરે કોંગ્રેસ કાર્યાલય પર એક એક નેતાઓ આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ મામલે પોલીસ ફરીયાદ પણ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ છે.

કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને સંસદમાં નિવેદન આપ્યું હતું કે, હિન્દુ હુમલાખોર નથી હોતા. ભગવાન શંકરને પ્રથમ વખત સંસદમાં રાહુલ ગાંધી લઈ ગયા હતા અને તેમની આરાધના કરી હતી. રાહુલ ગાંધીએ જ કહ્યું હતું કે, તમે નક્કી હિન્દુ છો, કાયર જ હિંસા કરે. વહેલી સવારે કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે. અડધી રાતે માત્ર ચોકીદાર અને તેમનો પરિવાર હતો. ત્યારે વીએચપી અને બજરંગદળના કાર્યકરોએ હુમલો કર્યો છે. ચોકીદારની પત્ની અને સગર્ભા દીકરી પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ જોડે અમે આ મામલે ચર્ચા કરી કાયદેસરની કાર્યવાહી કરીશું. મારું એટલું કહેવું છે કે, દિવસે આવો તલવાર, બંદૂક જે પણ હથિયાર લઈને આવવું હોય તે લઈને આવો. અમારી પાસે સત્ય અને અહિંસાનાં હથિયાર છે. અમે ડરતા નથી, અમે સત્યની સાથે છીએ. અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. નકલી હિન્દુત્વની વાતો કરનાર લોકો પાસેથી અમારે સર્ટિફિકેટની જરૂૂર નથી.

અમે સત્ય અહિંસાના હથિયારોથી જ હરાવશું: અમિત ચાવડા
કોંગ્રેસના કાર્યાલય પર હુમલાને લઈને અમિત ચાવડાએ એકસ પર પોસ્ટ કરીને ભાજપના લોકોએ રાતના અંધારામાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થર ફેંકવાની કાયરતાપૂર્ણની હરકત કરી હોવાનું કહ્યું હતું. તેમણે લખ્યું કે, અમે હુમલો કરનારા ભાજપ, આરએસએસના નેતાઓને કહેવા માંગીએ છીએ કે હિંમત હોય તો સામે આવીને લડો. ગુજરાતમાં અમે તમને સત્ય-અહિંસાના હથિયારથી જ હરાવીશું.

જરૂર પડે તો મોટો વિસ્ફોટ કરી શકીએ છીએ: VHPના પ્રદેશ મંત્રી રાવલ
કોંગ્રેસ કાર્યાલય ખાતે તોફાન અંગે વીએચપીના પ્રદેશ મંત્રી અશોક રાવલે જણાવ્યું છે કે, ગઈકાલે સંસદમાં જે રાહુલ ગાંધી બોલ્યા તે વાતને અમે વખોડી રહ્યા છીએ. વિરોધ પક્ષના લોકોને ખબર નથી કેવા નેતાને વિરોધ પક્ષના નેતા બનાવો જોઈએ. બધા વિશ્વ હિન્દુ પરિષદના લોકો છે. હું બધાને ચેતવણી આપું છું કે, હિન્દુ પર ગમે તેમ ન બોલે વિશ્વ હિન્દુ પરિષદ એ સમગ્ર હિન્દુ સમાજનું એક સંગઠન છે. અમે કોઈ મોટો વિસ્ફોટ નથી કર્યો. અમે ખાલી પરચો આપ્યો છે. જરૂૂર પડશે તો આગામી સમયમાં મોટો વિસ્ફોટ પણ કરી શકીએ છીએ. અમારે જ્યારે જરૂૂર પડશે ત્યારે અમારી તાકાત અમે દેખાડી દઈશું. રાહુલ ગાંધીએ હિન્દુ સમાજ અને આખા સંસદની માફી માગવી જોઈએ. જો રાહુલ ગાંધી માફી નહીં માગે તો આગળ મોટા કાર્યક્રમો થશે. ડરપોક તો કોંગ્રેસ છે, એમણે ખબર છે કે, હુમલો થવાનો છે. તૈયારી રાખવી જોઈએ. સરકાર એનું કામ કરશે, પોલીસ એનું કામ કરશે અને અને અમારું કામ કરીશું.

Advertisement
Tags :
Advertisement
Advertisement