For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેઘાલયમાં સગીરા પર બળાત્કારનો પ્રયાસ કરનારા બેને ટોળાંએ રહેસી નાખ્યા

06:24 PM May 06, 2024 IST | Bhumika
મેઘાલયમાં સગીરા પર બળાત્કારનો પ્રયાસ કરનારા બેને ટોળાંએ રહેસી નાખ્યા

મેઘાલયના પૂર્વી પશ્ચિમી ખાસી હિલ્સ જિલ્લામાં એક સગીરા પર બળાત્કારનો પ્રયત્ન કરવાના આરોપમાં એક ટોળાએ બે લોકોને માર મારીને મારી નાંખ્યા હતા. પોલીસે કહ્યું કે, આ ઘટના શુક્રવારે બપોરે જિલ્લા મુખ્યાલય મૈરાંગના નોંગથ્લિવ ગામની છે. સગીરાનો આરોપ છે કે તે ઘરમાં એકલી હતી ત્યારે બે લોકોએ તેના પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેના પર બળાત્કારનો પ્રયત્ન કર્યો હતો.

Advertisement

પોલીસે જણાવ્યું કે, પૂર્વી-પશ્ચિમી ખાસી હિલ્સ જિલ્લાના મુખ્યાલય મૈરાંગના નોંગથ્લિવ ગામમાં શુક્રવારે બપોરે સગીરા તેના ઘરમાં એકલી હતી ત્યારે બે પુરુષોએ ચાકુથી તેના પર હુમલો કર્યો હતો અને તેના પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

જોકે, સગીરાએ બૂમો પાડતા આજુબાજુમાંથી પડોશીઓ ત્યાં આવી ગયા હતા અને તેમણે બંને પુરુષોને પકડી લીધા હતા. બંનેને ઝડપી લીધા પછી તેમને નજીકના સામુદાયિક હોલમાં લઈ જવાયા હતા, જ્યાં બંને સાથે મારપીટ કરાઈ હતી. આ ઘટનાને પગલે લગભગ 1500 લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. આ ઘટનામાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. બંને મૃતક રાજ્યના અન્ય ભાગના રહેવાસી હતા. તેઓ નોંગથ્લિવમાં મજૂર તરીકે કામ કરતા હતા.

Advertisement

દરમિયાન છત્તીસગઢના રાયપુર જિલ્લાના આરંગ પોલીસ સ્ટેશન હેઠળ આવતા કલાઈ ગામમાં પણ એક સગીરા પર બળાત્કારનો કેસ સામે આવ્યો છે. જણાવાઈ રહ્યું છે કે આરોપી છ મહિનાથી લગ્નના ખોટા વચનો આપીને પીડિતાનું શોષણ કરી રહ્યો હતો.

આ કેસમાં યુવકની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાએ શુક્રવારે પોલીસ સ્ટેશન આવીને લેખીત અરજી આપી ફરિયાદ નોંધાવી હતી તેમ પોલીસે જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement