For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં ટ્રેન દુર્ઘટના, માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતર્યા, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે

02:08 PM Feb 17, 2024 IST | Bhumika
દિલ્હીમાં ટ્રેન દુર્ઘટના  માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતર્યા  ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે

Advertisement

દિલ્હીમાં આજે એક રેલવે દુર્ઘટના સર્જાઈ હતી. દિલ્હીના ઝાખીરા ફ્લાયઓવર પાસે ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની જાણકારી મળી રહી છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ રેલવે અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ માલગાડીમાં લોખંડની શીટના રોલ લોડ કર્યા હતા. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રેલવેની ટીમ ખડી પડેલાં ડબાઓને સીધા કરવાનો પ્રયાસ કરી રહી છે. ટ્રેકનું સમારકામ પણ ચાલુ છે. સરાઈ રોહિલ્લા રેલવે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી.

Advertisement

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 6 ઓક્ટોબર 2023ના રોજ દિલ્હીમાં એક માલસામાન ટ્રેનને અકસ્માત નડ્યો હતો. જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી પરંતુ લાંબા સમય સુધી ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે ઘણી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અકસ્માત અંગે તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement