પોરબંદરના બરડામાં ગાજવીજ સાથે વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડતા બે લોકોના મોત
છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં પણ આજે બપોર બાદ ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે પોરબંદરના ગ્રામ્ય પંથકના સીસલી અને સોઢાણા ગામે વીજ પડવાથી બે વ્યક્તિઓના મોત થયા હોવાનું સમાઈ આવ્યું છે.
મળતી માહિતી અનુસાર સોઢાણા ગામની વાડી વિસ્તારમાં વીજ પડતા જીવાભાઇ ગીગાભાઈ કારાવદરા તથા વડાળા ગામના બાલુભાઇ કારાભાઈ ઓડેદરાનું પણ ઘટનાસ્થળે મોત થયું છે. બરડા પંથકમાં વીજ પડવાથી 2ના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી
અસહ્ય ગરમી અને ભારે બફારા વચ્ચે અચાનક જ ગ્રામ્ય પંથકમા માવઠું થયું છે. બરડાના રોઝડા, બખરલા, કાટવાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ઉનાળુ મોસમ ખરાબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે બરડાના શિશલી ગામે બાલુભાઈ કારાભાઈ ઓડેદરા ઉપર પર વીજળી પડતા તેમનુ ઘટના સ્થળે જ મોત થયું હતું.