For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન ઉપર રાજસ્થાનમાં પથ્થરમારો

05:15 PM Feb 26, 2024 IST | Bhumika
કચ્છથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન ઉપર રાજસ્થાનમાં પથ્થરમારો

અયોધ્યામાં રામમંદિર પ્રતિષ્ઠા બાદ ભગવાન રામનાં દર્શન અર્થે કચ્છથી અયોધ્યામાટે નીકળેલી વિશેષ આસ્થા એક્સપ્રેસ ઉપર કોઈ ટીખળખોરે પથ્થરો ફેકતાં દોડધામ મચી હતી. આ અંગે પ્રવાસીઓએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આસ્થા એક્સપ્રેસ ટ્રેન અયોધ્યા માટે પ્રસ્થાન થઈ હતી, બપોરે રાજસ્થાનના ભરતપુર વિસ્તારમાં ટેન આવતાં અજાણ્યા ટીખળખોરોએ એસ-18 નંબરના કોચ ઉપર પથ્થર ફેકયા હતા.જેને કારણે આ કોચના સીટ નં. 23 અને 24ના બારીના કાચ તૂટયા હતા. ત્યારબાદ રેલવે પોલીસે બનાવ સ્થળે આવી વિવિધ દિશામાં તપાસ આરંભી હતી.સદ્ભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ કોચમાં વાગડ વિસ્તારના સામખિયાળી સહિતના ગામોના પ્રવાસીઓ બેઠેલા હતા. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ પ્રવાસીઓના ખબર-અંતર પૂછયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement