કિર્ગિસ્તાનમાં ત્રણ પાકિસ્તાની છાત્રોની હત્યા, ભારતે જારી કરી એડવાઇઝરી
દૂતાવાસે ભારતીય વિદ્યાર્થીઓને ઘરમાં રહેવા સલાહ આપી
કિર્ગિસ્તાનની રાજધાની શહેરમાં ફાટી નીકળેલી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નિશાન બનાવતી ટોળાની હિંસા વચ્ચે ત્રણ પાક. છાત્રોની હત્યા થતાં ભારત અને પાકિસ્તાને આજે બિશ્કેકમાં વિદ્યાર્થીઓને ઘરમાં રહેવા સલાહ આપી હતી. જ્યારે કિર્ગિસ્તાનમાં ભારતના દૂતાવાસે કહ્યું હતું કે હાલમાં પરિસ્થિતિ શાંત છે, પાકિસ્તાનના મિશનએ જણાવ્યું હતું કે બિશ્કેકમાં મેડિકલ યુનિવર્સિટીની કેટલીક હોસ્ટેલ, જ્યાં ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ રહે છે, હિંસા વચ્ચે હુમલો કરવામાં આવ્યો છે.
અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. હાલમાં પરિસ્થિતિ શાંત છે,પરંતુ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ક્ષણ માટે ઘરની અંદર જ રહે અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં એમ્બેસીના સંપર્કમાં રહે. એમ ભારતીય મિશને એકસ પર ટિવટ કરી હતી. વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર, કિર્ગિસ્તાનમાં લગભગ 14,500 ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ એડવાઈઝરીમાં, બિશ્કેકમાં પાકિસ્તાનના દૂતાવાસે જણાવ્યું હતું કે 13 મેના રોજ કિર્ગીઝ અને ઈજિપ્તના વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈના વીડિયો શુક્રવારે ઓનલાઈન વાયરલ થયા બાદ મામલો વધી ગયો હતો.
પાકિસ્તાનમાંથી સંખ્યાબંધ વિદ્યાર્થીઓને હળવી ઇજાઓ થવાના અહેવાલો છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓના કથિત મૃત્યુ અને બળાત્કાર વિશે સોશિયલ મીડિયા પોસ્ટ્સ હોવા છતાં, અમને હજી સુધી કોઈ પુષ્ટિ થયેલા અહેવાલો મળ્યા નથી.