તળાજામાં ત્રણ સગાભાઈ બહેન પર છરી વડે છ શખ્સોનો હુમલો
ભાવનગર જિલ્લાના તળાજાના હુડકો વિસ્તારમા રહેતા અને કુંભારવાડા મા ચિકન નો વ્યવસાય કરતા શેખ પરિવારના બે ભાઈઓ અને તેના બહેન ઘરે હતા એ સમયે તળાજા માજ રહેતા સાઢુંભાઈ અને તેના ભાઈઓ સહિત કુલ છ વ્યક્તિ એ મળી છરી ધોકા પાઇપ વડે હુમલો કરી લોહીયાળ ઇજા કર્યા ની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી.
જુના શોભાવડ ગામે બે જૂથ સામ સામે આવી જઈને એકબીજા પર હુમલો કર્યાના આજે ત્રીજાજ દિવસે અહીં એકજ પરિવાર પર છરી વડે હુમલો કર્યાની ઘટના બનતા આમ જનતામાં કાયદો અને વ્યવસ્થા કથળીયા ની સાથે પોલીસ કડક બને તેવી લાગણી આમ જનતામાંથીઉઠવા પામી છે.
આજે બનેલા બનાવ ની મળતી પ્રાથમિક વિગતો મુજબ તળાજા ના હુડકો વિસ્તારમાં રહેતા શેખ પરીવાર ના શાકિર સફિરભાઈ ,સાજીદ સફિરભાઈ ,ફરજાનાબેન સફિરભાઈ ઘરે હતા એ સમયે તળાજાનાજ રહેવાસી સાદિકભાઇ અલીભાઈ,અકરમ,દાઉદભાઈ,સમીર ફિરોઝભાઈ, જાકિરભાઈ સાહિતનાએ છરી,ધોકા અને પાઇપ વડે હુમલો કર્યા હોવાનું ઇજાગ્રસ્ત શાકિર એ જણાવ્યું હતુ. હુમલા નું કારણ પારીવારીક ઝગડો હોય પોતાના ભાઈના સાઢુંભાઈ એ તેના પરિવારના સભ્યોને સાથે રાખી હુમલો કરેલ.જેમા માથા,ગરદન ના પાછળ ના ભાગે લોહીયાળ ઇજાઓ થવા પામી હતી.
હુમલો કરનાર સમાન ઈરાદો પાર પાડી ને નાસી ગયા હતા.જેની પોલીસે શોધખોળ હાથધરી હતી.ઘટના સ્થળે પોલીસ નો બંદોબસ્ત ગોઠવાયો હતો.પોલીસે જણાવ્યું હતુ કે સામા પક્ષે પણ ઇજાઓ થઈ છે.જોકે તે લોકોએ અહીં તળાજા મા કયાંય સારવાર લીધી ન હતી.પોલીસે રાત્રે ફરિયાદ લેવા જવાથી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. છરીના ઘા થી ઇજા ગ્રસ્ત બે દીકરા અને એક દીકરીના માતા ફાટમાબેન એ આપવીતી જણાવતા કહ્યું હતુંકે આ લોકોએક વર્ષ થી પાછળ પડી ગયા છે.