For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં અઠવાડિયામાં ત્રીજી હત્યા: યુવાનને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો

01:06 PM Jun 19, 2024 IST | admin
ભાવનગરમાં અઠવાડિયામાં ત્રીજી હત્યા  યુવાનને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો
Advertisement

સિહોરના પીપરલા ગામે હત્યાની ઘટનાથી પોલીસે કારણ અંગે તપાસ આદરી

ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં હત્યાનો ત્રીજો બનાવ બનતા કાયદો વ્યવસ્થાને લઈ સવાલો ઉઠ્યા છે. સિહોર તાલુકાના પીપરલા ગામના વાડી વિસ્તારમાં સાંજના સમયે અજાણ્યા શખ્સો દ્વારા યુવક પર છરી વડે હુમલો કરી હત્યા નિપજાવવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
શિહોરના પીપરલા ગામના વાડી વિસ્તારમાં યુવાન ની હત્યા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નજીક આવેલ પીપરલા ગામના વાડી વિસ્તારમાં આજે સાંજે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, હત્યાના આ બનાવની મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નજીક આવેલ પીપરલા ગામના વાડી વિસ્તારમાં આજે સાંજેના સુમારે દીપકભાઈ પ્રભુભાઈ ચૌહાણ ઉ.વ .40 રહે રાજગોરની શેરી સિહોર નામના યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દઈ ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનાના પગલે ગામમાં ચકચાર મચી જવા પામી હતી, આ હત્યા ક્યાં કારણોસર થઈ તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે.આ બનાવની જાણ થતા જ શિહોર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે સિહોર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. બનાવવાની જાણ થતાં કોળી સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. આ અંગે સિહોર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરના જૂના વિઠ્ઠલવાડી વિસ્તારમાં 13 જૂનના રોજ ધોળે દિવસે ફાયરિંગની ઘટના બની હતી. બે ભાઈઓ પર કરાયેલા ફાયરિંગમાં એક ભાઈનું મોત થયું હતું.ત્યારબાદ અઠવાડીયા પૂર્વે ઘોઘા સર્કલ વિસ્તારમાં એક યુવક પર હુમલો કરાતા ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા મારમારીનો બનાવ હત્યામાં પલટાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement