ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરી યુવકને ચાર શખ્સોએ માર માર્યો
ચુનારાવાડ વિસ્તારમાં રહેતા યુવાનને પૈસાની ઉઘરાણી મામલે ચાર શખ્સોએ માર મારી છરીનો ઘા ઝીંકી દીધો હતો.યુવાનને બચાવવા તેનો મિત્ર વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર્યો હતો.આ અંગે ચાર શખ્સો સામે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી છે.
મળતી વિગતો મુજબ,ચુનારાવાડ વિસ્તારમાં શેરી નંબર 2 માં રહેતો અને ઈમીટેશનનું કામ કરનાર પરાગ વિજયભાઈ બાવળીયા(ઉ.વ 25) નામના યુવાને કાળુ,ગોપાલ,રાઘવ અને એક અજાણ્યા શખસનું નામ આપતા ગુનો નોંધાયો હતો.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે આરોપી કાળુ પાસેથી ઉછીના પૈસા લીધા હોય જેથી આ પૈસાની આરોપીઓ ઉઘરાણી કરતા યુવાને કહ્યું હતું કે, થોડા દિવસ બાદ આપી દઈશ.જે બાબતનો ખાર રાખી ચારેય આરોપીઓએ યુવાનને ગાળો આપી માર મારવા લાગ્યા હતા.દરમિયાન આરોપી રાઘવે યુવાનને માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ સમયે યુવાનનો મિત્ર તેને બચાવવા માટે વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ ઢીકાપાટુનો માર મારી પછાડી દીધો હતો.બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા શોધખોળ શરૂૂ કરી છે.આ બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વી.બી.ધાણજા ચલાવી રહ્યા છે.