રાજકોટ અગ્નિકાંડની સીટનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો, આ વિભાગની બેદરકારી આવી સામે
03:12 PM Jun 21, 2024 IST | Bhumika
Advertisement
રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે રચાયેલી SITએ રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કર્યો છે. આ રીપોર્ટમાં જેમાં ચાર વિભાગની બેદરકારી સામે આવી છે. પ્લાનિંગ વિભાગ ,ફાયર વિભાગ ,લાયસન્સ બ્રાન્ચ પોલીસના અમુક વિભાગો અને આર એન્ડ બી વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ છે.
રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે ભીષણ આગ લાગી હતી. આ ઘટના 28 લોકોના મોત થયા હતા. ત્યારે આ અકસ્માતની તપાસ માટે 3 જૂન 2024ના રોજ રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો રજૂ કર્યાં હતાં.
Advertisement
Advertisement