નીટ પરિણામનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
NEET-UG,2024ની પરીક્ષા અને તેના પરિણામોને લઈને મામલો ગરમાયો છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ઉમેદવારોના એક જૂથે NEET-UG, 2024ની પરીક્ષા નવી તારીખથી યોજવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ પરીક્ષા 5મી મેના દિવસે લેવામાં આવી હતી. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે 5 મેના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હતી.
પેપર લીકની અનેક ઘટનાઓ સામે આવી છે. ઉમેદવારો એવી દલીલ કરે છે કે કથિત નીટ પેપર લીક બંધારણના અનુચ્છેદ 14 માં સમાવિષ્ટ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે કારણ કે તે કેટલાક ઉમેદવારોને અન્ય કરતા ગેરલાભમાં મૂકે છે, જેનાથી તે વિદ્યાર્થીઓને ભારે નુકસાન થાય છે જેમણે પરીક્ષામાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરી છે. માત્ર પેપર લીક જ નહીં, પરીક્ષાને લઈને ઉમેદવારોએ અન્ય ઘણા આક્ષેપો કર્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ તમામ આરોપો પર પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે અને પોતાને સ્વચ્છ અને સુઘડ ગણાવ્યા છે. જાણો ગઝઅનું આના પર શું કહેવું છે.
ઉચ્ચ કટઓફના ગુણ અને NEETપરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વળતર અંગેની સ્પષ્ટતા આપતા, ગઝઅએ જણાવ્યું હતું કે આ સંદર્ભે હાઇકોર્ટમાં ઘણી રિટ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં પંજાબ અને હરિયાણા, દિલ્હી અને છત્તીસગઢની અદાલતોએ પરીક્ષામાં સમયના બગાડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આમાં, 5 મી મેના રોજ, કેટલાક પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ NEETઞૠ પરીક્ષા માટે મોડા પડ્યા હતા. ગઝઅને સબમિટ કરવામાં આવેલી આ ફરિયાદોને ઉકેલવાનો નિર્ણય કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી લેવામાં આવ્યો હતો. ગઝઅએ આવી ફરિયાદો/પ્રતિનિધિત્વોને ધ્યાનમાં લેવા અને તેની ભલામણો સબમિટ કરવા માટે પરીક્ષા અને શિક્ષણ ક્ષેત્રના જાણીતા નિષ્ણાતોની બનેલી ફરિયાદ નિવારણ સમિતિની રચના કરી છે.
NEET-UG 2024 ના કેટલાક ટોપર્સ એક જ કેન્દ્રના હોવાના જવાબમાં, ગઝઅ સૂત્રો કહે છે કે 720/720 માર્ક્સ મેળવનારા ઉમેદવારોના NEET-UG પરિણામ અંગે કેટલીક ગેરસમજ છે અને તેઓ એક જ કેન્દ્રના છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ પરીક્ષા કેન્દ્રના ઉમેદવારોને વળતરના ગુણ આપવામાં આવ્યા હોવા છતાં, આ ચોક્કસ ઉમેદવારો સામાન્યકરણ દ્વારા તેમના ગુણના સમાયોજન પહેલા જ ઉચ્ચ સ્કોરર હતા. વધુમાં, બોનસ માર્ક્સ કૃત્રિમ રીતે માર્ક્સ વધારતા ન હતા પરંતુ તેના બદલે સંખ્યાત્મક સૂત્રનો ઉપયોગ કરીને પરીક્ષાના સમયના નુકસાનને આધારે ગુણ આપવામાં આવ્યા હતા. ગઝઅ કહે છે કે સંખ્યાઓમાં કોઈપણ ગોઠવણ પ્રમાણભૂત સૂત્રને અનુસરે છે, જે ઈઈઝટ એનાલિટિક્સ અને ગ્રાઉન્ડ કર્મચારીઓના અહેવાલો દ્વારા તમામ હકીકતોની સંપૂર્ણ ચકાસણી પછી લાગુ કરવામાં આવે છે. તેથી, ગઝઅ દ્વારા 4.6.24 ના રોજ જાહેર કરાયેલ પરિણામમાં કોઈ વિસંગતતા નથી.